SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાશકીય .......... આજે અમારા આનંદની અવધિ નથી. જેનશાસનના કર્મસાહિત્યના શિરમોર અન્યોમાંના એક મહાન શી કમ્મપયડી ગ્રન્થના ગુજરાતી સંક્લન ભાગ- ૨ નું પ્રકાશન કાવતાં અમે ધન્યતા અનુભવીએ છીએ. ચારસાના કારણે વિશ્વપ્રસિદ્ધ બનેલું સોલાપુર દણિ મહારાષ્ટ્રનું એક મહત્વનું ઔદ્યોગિક નગર છે. રાજસ્થાન, ગુજરાત અને કચ્છના જુદાં જુદાં ગામોથી અનેક જૈન કુટુંબો વ્યવસાયાર્થે અહીં સ્થાયી થયેલા છે. પરમકૃપાળુ પરમાત્માશ્રી આદીશ્વરદાદાની છત્રછાયામાં સંઘમાં સુમેળ-સંપ જળવાઇ રહ્યા છે, તેમજ સુખશાંતિ વગેરે દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વિહારક્ષેત્ર હોવાથી અનેક મહાત્માઓનો ચાતુર્માસમાં તથા શેષકાળમાં યોગ સાંપડતો રહે છે જેથી શ્રીસંઘમાં ધર્મની લાગણી સંદર રીતે પ્રસરેલી છે. ધાર્મિક સંસ્કરણમાં પાઠશાળાના અધ્યાપક શ્રી કનુભાઇ શાહનો પણ સુંદર ફાળો છે. વિ.સં. ૨૦૪૭ના વૈશાખ મહીનામાં મુમુક્ષુ લતા કુમારી ને પ્રવજ્યા પ્રદાન કરવા માટે શ્રીસૂરિપત્ર પંચપ્રસ્થાનારાધક પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય જયશેખર .મ.સા. અમારા નગરમાં પધાર્યા ને લગભગ ઘેa મહિનો રોકાયા. તેઓશ્રીની સરળતા અને પૂજ્યપાદ મુનિરાજ શ્રી અભયશેખર વિજય મ.સા.નાં પ્રવચનો વગેરેથી સંઘ સાથે પ્રભાવિત થયો. તેઓશ્રીની પુનિત પ્રેરણાથી જ, પૂજ્યપાદ ઉપકારી સાધુ-સાધ્વીજીના તથા અન્ય જિજ્ઞાસુઓના ઉપયોગ માટેના આવા અનુપમ ગ્રંથનાં પ્રકાશનનો અમને અમૂલ્ય લાભ સાંપડ્યો છે. અમારા વાનખાતાના દ્રવ્યમાંથી પ્રકાશિત થયેલા આ ગ્રન્થ દ્વારા જે જે મહાત્માઓ તથા જિલ્લાઓ સમ્યકક્ષાનનું અધ્યયન- અધ્યાપન વગેરે કરશે, તેનાથી અમારા શ્રીસંઘનું પુણ્ય વધશે જેના પ્રભાવે શાસનસેવાનાં- શાસનશોભાનાં શાસનપ્રભાવનાનાં અનેકગણાં કાર્યો અમારા શ્રી સંઘદ્વારા ભવિષ્યમાં પણ થયા કરે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે.. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સોલાપુર.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy