SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ (૫) યોગસ્થાન- શ્રેણિના અસંમા ભાગ પ્રમાણ રૂદ્ધકોનું પ્રથમ જઘન્ય યોગસ્થાન બને છે. અંગુલના અi૦માં ભાગપ્રમાણ અધિક અધિક સ્પદ્ધકો વડે આગળઆગળના યોગસ્થાનકો બને છે. કુલ યોગસ્થાનો શ્રેણિના અસંમા ભાગ જેટલા છે. જણ... ૧. કોઈપણ એક સમયે એક યોગસ્થાન હોય છે. એ વખતે તે તે આત્મપ્રદેશો પર જે સમવિષમ વીર્યાણુઓ પેદા થાય છે એના કારણે વર્ગણાઓ અને સ્પર્ખકો રચાય છે. આવા શ્રેણિના અસં ૦મા ભાગ પ્રમાણ સ્પદ્ધકોની રચના થવામાં બધા આત્મપ્રદેશો રોકાઈ જાય છે, અને એક યોગસ્થાન બને છે. આત્મપ્રદેશોની સંખ્યા અને દરેક સ્પર્ધ્વકમાં રહેલ વર્ગણાઓની સંખ્યા એક-એક સ્થિર રકમ છે. તેથી ઉત્તરોત્તર યોગસ્થાનકોમાં સ્પર્ધ્વકો વધવાથી એક એક પદ્ધકોમાં અને એક એક વર્ગણામાં આત્મપ્રદેશોની સંખ્યા ઓછી ઓછી થતી જાય છે. અસત્કલ્પનાથી યોગસ્થાનની સમજણ... ધારોકે સૂક્ષ્મનિગોદ જીવના જઘ૦ યોગસ્થાનમાં સર્વાલ્પ વિર્યાણુઓવાળા આત્મપ્રદેશોમાં એક એક લાખ વિર્યાણું છે. (અસં લોક). આવા આત્મપ્રદેશો ધારો કે ૧૦૦ (અસંમતર) છે. આ ૧૦૦ આત્મપ્રદેશોની પ્રથમ વર્ગણા થઈ. ત્યારબાદ ૧૦OOO૧ વિર્યાણુઓવાળા ૯૯ આત્મપ્રદેશો છે. આ બીજી વર્ગણા થઈ. ત્યારબાદ ૧OOO૦૨ વીર્યાણુઓવાળા ૯૮ આત્મપ્રદેશો છે આ ત્રીજી વર્ગણા થઈ. ત્યારબાદ ૧OOOO૩ વર્યાણુઓવાળા ૯૭ આત્મપ્રદેશો છે. આ ચોથી વર્ગણા થઈ. આ ચાર એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ કહેવાય. એનો સમૂહ એ પ્રથમ સ્પર્ધ્વક. ત્યારબાદ ૧૦OO૦૪ વર્યાણુઓ કોઈ આત્મપ્રદેશમાં હોતા નથી, એમ ૧૦૦૦૦૫, ૧૦૦૦૦૬... યાવત્ ૧૯૯૯૯૯ વીર્યાણુઓ કોઈ આત્મપ્રદેશ પર હોતા નથી. આ અંતર કહેવાય છે. તેથી અંતર = ર લાખ-૧0000૩–૧=૯૯૯૯૬ (અસં લોક). એ પછી ૨ લાખ વીર્યાણુઓવાળા ૯૬ આત્મપ્રદેશો છે. આ બીજા સ્પદ્ધકની પ્રથમ વર્ગણા થઈ. ત્યારબાદ ૨૦OO૦૧ વિર્યાણુઓવાળા ૯૫,૨૦૦૦૦૨ વર્યાણુઓવાળા ૯૪, અને ૨૦OO૦૩ વર્યાણુઓવાળા ૯૩ આત્મપ્રદેશો છે. આ ૪ વર્ગણાઓનો સમૂહ એ બીજું સ્પર્ધ્વક થયું. ત્યારબાદ ૯૯૯૯૬નું અંતર છે. પછી ત્રીજું સ્પર્ધ્વક શરૂ થાય છે. એની પ્રથમ વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશમાં ૩ લાખ વીર્યાણુઓ હોય છે. આવા ૯૨ આત્મપ્રદેશો છે. એમ ૩૭૦૦૦૧ વાળા ૯૧,૩0000ર વાળા ૯૦,૩OOO૦૩ વાળા ૮૯ આત્મપ્રદેશો છે. ત્યારબાદ પાછું ૯૯૯૯૬નું અંતર છે. પછી ચોથું સ્પર્ધ્વક શરૂ થાય છે. એમાં પ્રથમવર્ગણામાં ૪૦OOOO વીર્યાણુઓવાળા ૮૮ આત્મપ્રદેશો, ૪૦૦૦૦૧ વીર્યાણુઓવાલા ૮૭ આત્મપ્રદેશો, ૪૦૦૦૦૨ વાળા ૮૬ આત્મપ્રદેશો અને ૪૦૦૦૦૩ વાળા ૮૫ આત્મપ્રદેશો છે. આ ૪ સ્પદ્ધકોનું ધારી લ્યો કે પ્રથમ યોગસ્થાન છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy