SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ | પહેલી વર્ગણા અને બીજી વર્ગણામાં ફેર એટલો જ કે બીજી વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશોમાં, પ્રથમવર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશમાં રહેલ વીર્યાણુઓ કરતાં એક એક વર્યાણ અધિક હોય છે. એ રીતે ત્રીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં બીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં રહેલ વિર્યાણુઓ કરતાં એક એક વર્યાણ અધિક હોય છે. આ રીતની ક્રમસર મળતી વર્ગણાઓને એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ કહે છે. . એક એક વર્ગણામાં ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતર પ્રમાણ આત્મપ્રદેશો હોય છે. જેમ જેમ વર્ગણાઓ આગળ જતી જાય છે તેમ તેમ એક એક વર્ગણામાં રહેલા આત્મપ્રદેશોની સંખ્યા ઘટતી જાય છે. કારણ કે તથા સ્વભાવે અધિક અધિક વર્યાણુઓવાળા આત્મપ્રદેશો ઓછા ઓછા હોય છે. યાદ રાખો કે :- વર્ગણા એ આત્મપ્રદેશોનો સમૂહ છે. વીર્યાણુઓનો નહીં. (૩) સ્પર્ધ્વક– પ્રથમ વર્ગણાથી માંડીને જ્યાં સુધી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ નિરંતર મળે છે ત્યાં સુધીની તે વર્ગણાઓના સમૂહને પદ્ધક કહે છે. સૂચિ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ દરેક સ્પર્ફકમાં હોય છે. વર્ગણાઓની સંખ્યા એક ચોક્કસ રકમ છે, એટલે કે દરેક સ્પર્ધ્વકમાં વર્ગણાઓ એકસરખી હોય છે. સર્વાલ્પ વર્યાણુઓવાળી પ્રથમ વર્ગણાથી પ્રારંભીને મળેલ આ સ્પર્ધ્વકને પ્રથમ સ્પર્ધ્વક કહે છે. આની પ્રથમ વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશો પર અસં. લોક પ્રમાણ વીર્યાણુઓ હોય છે, અને ઉત્તરોત્તર વધતાં વધતાં છેલ્લી વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશો પર અસંશ્લોક+સૂચિ શ્રેણિનો અસં૦ મો ભાગ -૧ (=મ) જેટલા વિર્યાણુ હોય છે. (૪) અંતર– 1 વિર્યાણુઓવાળા આત્મપ્રદેશો હોય છે. પણ પછી એવા કોઈ આત્મપ્રદેશો મળતા નથી કે જેના પર મ+૧, મકર, મ+૩. ઈત્યાદિ વિર્યાણુઓ હોય. આવા મ+૧ વગેરે જેટલા વિર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો જે અભાવ એ અંતર કહેવાય છે. આ અંતર અસંખ્યલોક (વ) પ્રમાણ હોય છે એટલે કે પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણામાં જે 4 વિર્યાણુઓ હતા તેના કરતાં આ અસં લોક સુધીના વધુ વર્યાણુઓ હોય (એટલે કે મ+૧ મ+ર. એમ યાવત્ +4 વિર્યાણુઓ હોય) એવા કોઈ આત્મપ્રદેશો ક્યારેય હોતા નથી. પણ પછી પાછા મQ+૧, મ++૨... એમ વર્યાણુઓવાળા આત્મપ્રદેશો મળે છે જેની ફરીથી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ હોય છે. આ વર્ગણાઓનો સમૂહ એ બીજું સ્પદ્ધક છે, આમાં અને ઉત્તરોત્તર દરેક સ્પર્ધ્વકમાં પ્રથમ સ્પર્ધ્વક જેટલી જ વર્ગણાઓ હોય છે. આ બીજા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણા પછી પાછું અસં. લોક જેટલું અંતર પડે છે. એ પ્રમાણે દરેક સ્પર્ધક પછી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004977
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year2003
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy