SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક આપણે બીજા પ્રવૃત્તિઆશયને વિચારી રહ્યા છીએ. એ માટે | યત્નાતિશય જરૂરી હોય છે. પણ જો - ૫૫. | ઔસ્ક્ય વગેરે દોષ હોય તો યત્નાતિશય આવી શકતો નથી એ આપણે પૂર્વ લેખમાં જોઈ ગયા. આ સુક્ય વગેરે જેમ યત્નાતિશયના અને એકાગ્રતાના બાધક છે, એમ અન્યાભિલાષ પણ એનો બાધક છે. વિરુદ્ધ અભિલાષ અને સ્વપક્ષીય અન્યાભિલાષ એ બંને અહી અન્યાભિલાષ” તરીકે અભિપ્રેત છે. તપશ્ચર્યાકાળે ખાવાની અભિલાષા એ વિરુદ્ધ અભિલાષ કહેવાય. અને તીર્થયાત્રાની ઇચ્છા એ સ્વપક્ષીય અન્યાભિલાષ કહેવાય.. સ્વાધ્યાયકાળે નિદ્રા કે વાતો કરવાની ઇચ્છા છે વિરુદ્ધ અભિલાષ અને અન્ય આરાધનારૂપ વિકૃષ્ટ તપ વગેરેની ઇચ્છ એ સ્વપક્ષીય અન્યાભિલાષ છે. આ બન્ને ભિન્નકાળ હોય તો બાધક નથી પણ તત્કાળ હોય તો બાધક છે. તપકાળે આહારની ઇચ્છા બાધક છે પણ પારણાકાળે આહારની અતીવ્ર ઈચ્છા એ બાધક નથી. અર્થાત્ એ પુન તપકાળે તપને અટકાવશે નહીં. માસક્ષમણના અવસરે તીર્થયાત્રાને ઇચ્છા માસક્ષમણમાં બાધક બની શકે, ભિન્નકાળે નહીં. સ્વાધ્યાયકા નિદ્રાની ઇચ્છા બાધક બને, નિદ્રાકાળે નહીં, એ તો વધારે ફ્રેશ થઈને સ્વાધ્યાય કરી શકે. નાની ઉંમરમાં સ્વાધ્યાય કરવો એ મુખ્ય સાધના છે તેથી એ કાળે વિકૃષ્ટ તપની ઇચ્છા બાધક છે, પાછલી ઉંમરે નહીં વ્યાકરણના અધ્યયન કાળે ન્યાયના અધ્યયનની તીવ્ર અભિલાષા વ્યાકરણના અધ્યયનના પ્રયત્નને શિથિલ બનાવે જ. શ્રાવકને પૂજાન કાળે વપરાદિની અભિલાષા બાધક બને, પણ વેપારના કાળે વેપારની અભિલાષા હોય એ પૂજાની બાધક નહીં. વ્યાખ્યાનના અવસરે પૂજાનું ઇચ્છા બાધક બને, પણ પૂજાના અવસરે એ બાધક નહીં. અન્યાભિલાષની જેમ વિક્ષેપને ટાળવો પણ આવશ્યક હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004976
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 04
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy