________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૯
૫૬૭
આની સામે ટી. વી. ત્યાગ (વ્યવહા૨) સુશક્ય હોવા છતાં એ ત્યાગ કરે નહીં, ને ‘ટી.વી. ત્યાજ્ય છે' એવું રટણ કર્યા કરે... એને રટણ માત્ર પોપટપાઠ રૂપ બની રહેવાથી ટી.વી.ની વાસ્તવિક સૂગ (પરિણતિનિશ્ચય) ઊભી થવાની જ નથી... માટે જણાય છે કે ત્યાગ (વ્યવહાર) પરિણતિની (નિશ્ચયની) ભૂમિકા લાવનારો છે. ને તેથી એ પણ અત્યન્ત આવશ્યક છે. આમ નિશ્ચય અને વ્યવહાર બન્ને એકબીજાના પૂરક છે એ સ્પષ્ટ છે.
ટૂંકમાં, વ્રત-નિયમ વગેરે સ્વરૂપ વ્યવહારથી પ્રારંભ કરવાનો ને એના દ્વારા સંપૂર્ણ પરિણતિ-નિશ્ચય ઘડાય ત્યાં સુધી પહોંચી જવું જોઈએ. પાણીને પાળ બાંધીને પણ ક્યાં સુધી પકડી રાખશો ? જરાક છિદ્ર મળશે તો અધોગમન ચાલુ... વરાળ બનાવીને એને ઊડાવી જ દો... પછી અધોગમનની શક્યતા જ ન રહે. વિષય-કષાયમાં જતાં મનને નિયમ દ્વારા બાંધી બાંધીને કેટલું બાંધી રાખી શકાય ? એના કરતાં મનમાં જે અનાદિકાળથી વિષય-કષાયની પરિણતિ બેસેલી છે એને જ વિપરીત ભાવનાઓ દ્વારા સાફ કરી નાખો. પછી કોઈ ચિન્તા જ નહીં... પણ હા, જ્યાં સુધી પાણી વરાળ બનીને ઊડી ન જાય ત્યાં સુધી એનું અધોગમન ન થઈ જાય એ માટે એને પાળથી બાંધી રાખવું તો પડે જ. એમ જ્યાં સુધી વિષય – કષાયની પરિણતિઓ ઘસાઈ ન જાય, નાશ ન પામી જાય ત્યાં સુધી વ્રત-નિયમોની પાળથી મનને બાંધી રાખવું તો પડે જ. ને નિશ્ચય સુધી પહોંચો... આ
એટલે વ્યવહારથી પ્રારંભ કરો
સાધનામાર્ગ છે.
ટી.વી. ત્યાગ વગેરેનો બે-ચાર મહિના માટે નિયમ લીધો એટલે વ્યવહારનો પ્રારંભ થાય છે. પણ પછી ટી.વી. અંગે છી... છી... કરવા રૂપ નિશ્ચયને ઘૂંટવામાં જો ન આવે તો આ ત્યાગધર્મ નિયોગ કક્ષા સુધી પહોંચી શકે છે, વિનિયોગરૂપ બની શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org