SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૫, લેખાંક-૨૯ ૩૧૧ શંકા - તમે હમણાં તો જણાવ્યું કે વીતરાગપ્રભુરૂપ દેવતાવિશેષની પ્રતિષ્ઠા સંભવિત નથી. અને હવે એની જ પ્રતિષ્ઠાની વાત કરો છો? સમાધાન - પ્રતિમામાં પ્રતિષ્ઠિત થયેલ (= પ્રતિમામાં આવીને રહેલ) ચોક્કસ દેવ જ પૂજકને પૂજાનું ફળ આપે છે. આવા ફળપ્રયોજક તરીકે મુખ્યદેવતાની મુખ્ય પ્રતિષ્ઠા અન્યો જે માને છે તેનો નિષેધ જ પૂર્વે કરેલો છે. બાકી વીતરાગતા વગેરે ગુણોની ઉપચરિત સ્થાપના એ જ વીતરાગ પ્રભુની સ્થાપના તરીકે કહી જ શકાય છે, કારણ કે વીતરાગતા અને વીતરાગ વચ્ચે કથંચિત્ અભેદ છે. એટલે કશો વિરોધ નથી. પ્રભુના વચનને આગળ કરવા એ જેમ પ્રભુને જ આગળ કરવા તુલ્ય છે એમ પ્રભુવચનનો આદર કરવો એ પ્રભુનો જ આદર કરવા તુલ્ય છે. વળી પ્રભુવચનનો આદર કરવાથી સમાપત્તિ થાય છે એ પૂર્વે બીજી બત્રીશીમાં આપણે જોઈ ગયા છીએ. તેથી પ્રભુવચન પ્રત્યેના-પ્રભુ પ્રત્યેના આદરબહુમાનથી સમાપત્તિ ને સમાપત્તિથી વિપુલનિર્જરારૂપ પૂજાફળ મળે છે. ' આમ નિજભાવની સ્વાત્મામાં મુખ્ય ને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે એ, તથા પૂજાફળ શી રીતે મળે છે એ જોયું. બાકી ફળપ્રયોજક તરીકે (= ફળદાતા તરીકે) મુખ્ય દેવતાની જ પ્રતિમામાં પ્રતિષ્ઠા માનવી એ સંભવિત નથી. કારણકે ગમે તેવા મંત્રોચ્ચાર કે વિધિવિધાનથી, વીતરાગબનેલા મુખ્ય દેવતાનું પ્રતિમામાં સંનિધાન થવું અસંભવિત છે. આશય એ છે કે પ્રતિષ્ઠાપ્ય દેવનું બે પ્રકારે આગમન લોકો માને છે. (૧) કાયિકઆગમન-મંત્રસંસ્કારાદિથી આકર્ષાઈને દેવ ખુદ પ્રતિમામાં આવે ને પ્રતિમાને અધિષ્ઠિત કરે એ કાયિક આગમન કહેવાય છે. (૨) માનસિક આગમન-પોતે ખુદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy