SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સ્નેહરાગ (- પુત્રાદિ સ્વજનો પરની મમતા) કરતાં દૃષ્ટિરાગ (પોતાની માન્યતાની પકડ) અત્યંત ભયંકર છે... ને સારામાં સારા સાધક જણાતાઓને પણ એ હટાવવો અતિ મુશ્કેલ હોય છે. આવી જ વાત નવાંગીગુરુપૂજન વગેરે અંગે પણ સમાન છે. ભગવાનની મૂર્તિની નવાંગીપૂજા થાય છે. પણ જીવંત વિચરતા ભગવાનની નવાંગીપૂજા થઈ હોય એવું એક પણ દૃષ્ટાંત શાસ્ત્રોમાં નોંધાયેલું મળતું નથી. તીર્થસ્થાપના જેવા સર્વાધિક ઉપકારી પ્રસંગે દિવ્યવાસક્ષેપ હાજર હોવા છતાં કોઈપણ ઇન્દ્ર કોઈપણ તીર્થંકરભગવાનની નવાંગી પૂજા કરી નથી. માત્ર મહા અર્થગંભીર શ્લોકો વડે સ્તવના-વિનંતી જ કરે છે. ભરતચક્રીએ શ્રી ઋષભદેવભગવાનૂની, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથ ભગવાનની, શ્રેણિક મહારાજાએ પ્રભુ મહાવીરસ્વામીની કે અન્ય કોઈપણ ભક્ત રાજાશ્રેષ્ઠી વગેરેએ વિહરમાન શ્રી તીર્થંકર પ્રભુની નવાંગીપૂજા કરી હોય એવું કોઈપણ શાસ્ત્રમાં ક્યાંય પણ જણાવ્યું નથી. પ્રાચીનગ્રન્થોમાં જ્યાં જ્યાં ગુરુપૂજાની વાત આવે છે ત્યાં ત્યાં ગોચરી-પાણી વહોરાવવા વગેરેને જ ગુરુપૂજા તરીકે જણાવેલ છે, ક્યાંય પણ નવાંગીપૂજા કહેલ નથી. એટલે નવાંગી ગુરુપૂજન શાસ્ત્રવિહિત નથી એ દીવા જેવી ચોકખી વાત છે. છતાં એને શાસ્ત્રવિહિત માનવી ને એમાં આરાધના માનવી એ દૃષ્ટિરાગ સિવાય બીજું શું છે ? એટલે “અમારા ગુરુ મહાવિદ્વાનું છે... પરમ સાધક છે... તેઓ જે કહે એ જ સાચું હોય.. ભલે ને આખો સંઘ એમના કરતાં જુદું કહેતો હોય.” આવી માન્યતા ભ્રમણા હોવાની શક્યતા ઘણી, વધુ છે. અસ્તુ.) સ્થા. - જો મૂર્તિપૂજાથી આત્મકલ્યાણ થાય છે તો શાસ્ત્રોમાંઆગમોમાં મંદિર-મૂર્તિની વાત કેમ જોવા મળતી નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy