________________
બત્રીશી-૭, લેખાંક-૩૯
તો તૈયાર મકાન શા માટે નથી લઈ લેતા ? નવું મકાન બનાવવાની હિંસા તો બિનજરૂરી જ છે.
સ્થા – તૈયાર મકાન ક્યાં હોય ? કેવું હોય ? ધર્મઆરાધના માટે અનુકૂળ હોય યા ના હોય. આ બધી સમસ્યા આવે છે. અનુકૂળ જગ્યા પર, અનુકૂળ લંબાઈ-પહોળાઈવાળું-પર્યાપ્ત હવાઉજાસવાળું સુંદર મકાન હોય તો ધર્મઆરાધનામાં અનુકૂળતા રહેવાથી વધારે લોકો આરાધનામાં જોડાય છે. માટે નવા મકાનની હિંસા પણ બિનજરૂરી નથી.
૪૧૩
મૂર્તિ - આનો અર્થ તો એ જ થયો કે જ્યાં લાભ વધારે હોય ત્યાં હિંસા હોય તો પણ એ ધર્મ જ છે, પાપ નથી. તો સ્તુતિભજનથી જે ભાવ પેદા થાય છે, એની સાથે પૂજા કરવાથી વધારે ભક્તિ ઉલ્લસે છે. ને તેથી પૂજા પણ ધર્મ જ છે.
હવે એ વાતનો વિચાર કરો કે એક શ્રાવકના હાથ-પગ વિષ્ઠાથી ખરડાયેલા છે. એને સામાયિક કરવાની ઇચ્છા થઈ. એ માટે હાથ-પગ ધોઈને પછી એને સામાયિક કર્યું. આમાં એને પાપ લાગશે કે ધર્મ ?
એક શ્રાવકને ઘરમાં સામાયિક કરવાની અનુકૂળતા નથી. એટલે એ બાઈક પર બેસીને સ્થાનકમાં જઈને સામાયિક કરે છે. એને પાપ લાગશે કે ધર્મ થશે ? કોઈપણ સંતે વ્યાખ્યાનશ્રવણ કે સામાયિક માટે બાઈક-કાર દ્વારા સ્થાનકમાં આવનાર શ્રાવકોને ‘તમે તો પાપ કરો છો, કારણકે આમાં હિંસા છે' આવું કહીને રોક્યા છે ? જો ના, તો માત્ર પ્રભુપૂજામાં હિંસાના નામે વિરોધ શા માટે ?
સ્થા - જો શુભભાવની ઉત્પત્તિને આગળ કરીને ધર્મમાં જળ-પુષ્પ આદિની હિંસાને માન્ય કરશો તો પછી ધર્મના નામે બકરાનો બલિ આપવાની હિંસાને પણ માન્ય કરવી પડશે, કારણકે ત્યાં પણ શુભભાવની ઉત્પત્તિ કહી શકાય છે.
મૂર્તિ - ના, આ વાત સંભવિત નથી. વૈદે આપેલું ઝેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org