SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ‘માંસભક્ષણ, મદ્યપાન અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી, કારણ કે એ જીવોની પ્રકૃતિ છે' આવું દ્વિજ ૩૬ | કહે છે. એમાં માંસભક્ષણ સદોષ છે એ વાત પૂર્વના લેખમાં આપણે જોઈ ગયા. હવે, મદ્યપાન વગેરેમાં પણ દોષ છે, એ વાત આ લેખમાં વિચારવાની છે. લેખાંક મદ્યપાનને પ્રકૃતિરૂપ માનીને નિર્દોષ માનવાનું હોય તો એ રીતે તો ધૂમ્રપાન વગેરેને પણ કોઈ પ્રકૃતિરૂપ કહીને નિર્દોષ કહી દેશે... તો શું એ પણ સ્વીકારી લેવાનું ? મદ્યપાનમાં લક્ષ્મી-લજ્જા-વિવેક વગેરેનો નાશ થતો તો પ્રત્યક્ષ જ દેખાય છે. વળી જળમિશ્રિત અનેકદ્રવ્યોને રાખી મૂકવા દ્વારા શરાબ બને છે. આ રાખી મૂકવામાં ‘સંધાન’ થાય છે ને તેથી એમાં અનેક ત્રસજીવો ઉત્પન્ન થાય છે. એ જીવોની વિરાધના પણ એમાં દોષરૂપ છે જ. માટે એને નિર્દોષ શી રીતે કહેવાય ? વળી પુરાણકથાઓમાં પણ મદ્યપાન અતિદુષ્ટ છે એવું સંભળાય જ છે. તે આ રીતે કોઈક ઋષિએ ઘોર તપ આદર્યો. એનું પુણ્ય એટલું બધું વધી ગયું કે એ ઇન્દ્રસિંહાસનનો ઉમેદવાર બની ગયો. એટલે ઇન્દ્રને થયું કે ‘આ મહાતપસ્વી મને ઇન્દ્રાસન પરથી પદભ્રષ્ટ કરી નાખશે.’ આવું ન થાય એ માટે એને સાધનામાંથી વિચલિત કરવો જોઈએ. એટલે ઋષિને ક્ષોભ પમાડવા માટે એણે દેવાંગનાઓને મોકલી. એ દેવીઓએ એની પાસે આવીને વિનય કરીને એને પ્રસન્ન કર્યો. એટલે ઋષિએ એમને વરદાન માગવા કહ્યું. દેવીઓએ કહ્યું : તમે જીવહિંસા કરો અથવા મૈથુનસેવન કરો... ઋષિ વિચારે છે, આ તો નરકગમન કરાવનારા બહુ મોટા દોષ રૂપ છે. માટે બીજું કાંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004975
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy