SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૨ ૨૨૭ ઉત્તર : અસદ્ગહ છોડાવવા માટે અપુનર્બન્ધક વગેરેને દીક્ષા આપી શકાય છે. પંચાશક (૨/૪૪) માં કહ્યું છે કે “ભાવિત કરાતું શ્રીચિનોક્ત દીક્ષાવિધાન પણ સકૃદબંધક અને અપુનર્બન્ધક જીવોના અસદ્ગહનો શીઘ નાશ કરે છે.” આમ તાત્ત્વિક પરિણામ શૂન્ય જીવને તાત્ત્વિક પરિણામશૂન્ય એવા પોતાની પાસે રાખી શકે છે. પણ જે પ્રતિબુદ્ધ જીવ ચારિત્રના તાત્ત્વિક પરિણામવાળો હોય તેને તો તાત્ત્વિકોની સાથે સુસાધુઓની સાથે જ જોડી આપે છે. આ પણ એનો એક આચાર છે. ઉપદેશમાળા (૫૧૬)માં કહ્યું છે – “સંવિગ્નપાક્ષિક જીવ યોગ્ય જીવને બોધ પમાડીને પછી સુસાધુઓને સોંપી દે.” સ્વવીર્યને અનુસાર શક્ય સ્વઆચારને કરતા તેઓનાં આવશ્યક વગેરે વ્યર્થ જતાં નથી, કારણ કે સ્વવર્યાનુસાર અનુષ્ઠાનો કરતા રહેવામાં આવે તો જ એના પ્રત્યેની પ્રીતિ જળવાઈ રહેવાથી ઇચ્છાયોગનો નિર્વાહ થાય છે. સ્વવીર્યને અનુસારે પણ એ ન કરવામાં આવે તો એના પ્રત્યે બેદરકારી વગેરે ભાવ આવવાથી પ્રીતિ રહી શકતી નથી. વળી આચારોની અનુમોદના વગેરે તો સર્વથા અક્ષત રહેલી હોય છે. તેમજ ચિત્તનો આવશ્યકાદિના અર્થમાં ઉપયોગ હોવાથી શ્રદ્ધા-મેધા વગેરે (ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા) સંગત થઈ શકે છે. (૧) ઇચ્છાયોગનો નિર્વાહ, (૨) અનુમોદનાની અખંડિતતા તેમજ (૩) ઉપયોગથી થયેલ શ્રદ્ધા વગેરે.... આ ત્રણ કારણે તેઓનું આવશ્યક દ્રવ્ય આવશ્યક હોવા છતાં પ્રધાન હોઈ અક્ષત રહે છે. સંવિગ્નપાક્ષિકોનું તે આવશ્યક ભાવસાધુના આવશ્યકની અપેક્ષાએ દ્રવ્ય આવશ્યકરૂપ હોવા છતાં પ્રધાનદ્રવ્યરૂપ હોઈ, તેમજ એવો જ તેઓનો આચાર હોવાથી (અર્થાત્ સ્વઆચાર મુજબ એ હોવાથી) અક્ષત રહે છે, એટલે કે સર્વથા નિષ્ફળ જતું નથી. આવું પણ એટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy