SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આ અગીતાર્થો આકૃતિના વિશ્વાસથી અન્યને ઠગવાના મહાપાપના ભાગીદાર બને છે, કારણ કે પામરજીવોની ગુણોનો આભાસ થવા માત્રથી સ્ખલના થઈ જવી સંભવે છે. આશય એ છે કે આવા અગીતાર્થોનો બાહ્ય દેખાવ તો સમ્યક્ ક્રિયાનો તેમજ વિશિષ્ટ આરાધક ભાવનો જ હોય છે. વળી બાળજીવો તો બાહ્ય દેખાવને જ જુએ છે એ બીજી બત્રીશીમાં કહી ગયા, એટલે એવા પામર બાળજીવો આ બાહ્યલિંગના વિશ્વાસમાં આવી આવા અગીતાર્થોને વિશિષ્ટ આરાધક તરીકે સ્વીકારે છે, અને તેઓના દોરવાયા દોરવાય છે. તેથી ભવિષ્યમાં સ્ખલન પામે છે. એટલે તેઓના વિશ્વાસનો આ જે ઘાત થાય છે તેના પાપના તે અગીતાર્થો ભાગી બને છે. આમ શિથિલવિહારી બનેલાને તેમજ ઉદ્યતવિહારી બનવાના અભિમાનવાળા ગચ્છ બહાર થયેલા અગીતાર્થોને સંભવિત દોષો બતાવ્યા. હવે વીર્યાન્તરાય કર્મના ઉદયથી શિથિલ બનેલાને થોડે ઘણે અંશે પણ બચાવ જે રીતે મળી શકે એ જણાવવા ગ્રન્થકાર કહે છે. વીર્યાન્તરાયકર્મના ઉદયરૂપ સ્વકર્મદોષના કારણે ક્રિયાઓમાં સીદાતા હોવા છતાં પણ ધર્મરત=સ્વક્રિયા પ્રત્યે શ્રદ્ધાશીલ જેઓ સંવિગ્ન પાક્ષિક બને છે, એટલે કે મોક્ષાભિલાષી સંવિગ્ન સુસાધુઓ પ્રત્યે પક્ષવાળા=સુંદરબુદ્ધિવાળા જેઓ બને છે તેઓ પણ માર્ગના અન્વાચયથી શોભતા હોય છે. આમાં માર્ગનો અન્વાચય એટલે ભાવસાધુની પુંઠ પકડી રાખવી તે. એટલે કે ભાવસાધુને દરેક બાબતમાં આગળ કરવા તે. તેથી ભવિષ્યમાં તેઓ પુનઃમાર્ગને પામી શકે છે. ઉપદેશમાળા (૫૨૨)માં કહ્યું છે કે ‘બહુવાર પણ સમજાવવા છતાં વેશના ગાઢ અનુરાગથી વેશ ન છોડે તો એને સમજાવાય કે તું સંવિગ્નપાક્ષિકપણું પાળ, જેથી ચારિત્રધર્મનું બીજાધાન રહેવાથી ભવાંતરે તું આ સંવિગ્નપાક્ષિકતાથી મોક્ષમાર્ગ પામી શકીશ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy