SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૦૫ શાસ્ત્રવચનનો અમે જેવો અર્થ કરીએ એવો જ અર્થ જે કરે તે આજ્ઞામાં ને જુદો અર્થ કરે એ આજ્ઞા બહાર...' આ રીતે કોઈને આજ્ઞા બહાર કહી ન શકાય. પ્રશ્ન : તો કઈ રીતે કહી શકાય ? ઉત્તર : જેઓ સાચા અર્થનો ધરાર નિષેધ કરી ખોટો અર્થ કરે ને એ મુજબ વર્તે એને કહી શકાય. પ્રશ્ન : પણ જુદા જુદા ગીતાર્થો જુદો જુદો અર્થ કરતા હોય તો કયો અર્થ સાચો ને કયો ખોટો માનવો ? ઉત્તર : તે તે અર્થ કરવામાં શી શી સંગતિઓ છે અથવા અસંગતિઓ છે એનો ગીતાર્થો પરસ્પર વિચાર વિમર્શ કરીને સાચા અર્થનો નિર્ણય કરી શકે. પ્રશ્ન : પણ છતાં ગીતાર્થોએ આ રીતે નિર્ણત કરેલો અર્થ કરતાં અન્ય ગીતાર્થો જુદો જ અર્થ કહ્યા કરે તો ? ઉત્તર : તો બહુમતિ ગીતાર્થોને જે અર્થ યોગ્ય લાગે તેને સાચો માનવો જોઈએ ને બધાએ જ એ સ્વીકારવો જોઈએ. ને પછી બધાએ એ પ્રમાણે જ વર્તવું જોઈએ. જે એ પ્રમાણે ન વર્તે એ આજ્ઞા બહાર... એટલે જ બહુમતિ સુવિદિત ગીતાર્થોની મતિ એ જ શાસ્ત્રમતિ એમ કહેવું જોઈએ. પ્રશ્ન : પણ કોઈક ગીતાર્થને આ બહુમતિ ગીતાર્થોએ કરેલો અર્થ ધરાર ખોટો લાગતો હોય તો ? ઉત્તર : તો પણ એનો સ્વીકાર જ કરવો એ એમની ફરજ છે. “બહુમતિ ગીતાર્થોને જે માન્ય હોય એને સ્વબુદ્ધિથી દોષોની કલ્પના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy