SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - આ સિદ્ધાન્ત અને સામાચારી.. એવા બે અલગ અલગ કથન દ્વારા તમે શું કહેવા માગો છો ? શંકા - જેમાં કશો ફેરફાર થઈ ન શકે એ સિદ્ધાન્ત અને જેમાં ફેરફાર ને અવકાશ છે એ સામાચારી. આવો ભેદ હોવાથી તિથિમાં ફેરફાર થઈ શકતો નથી. કારણ કે તિથિ એ સિદ્ધાન્ત છે. સમાધાન - આ એક નરી ભ્રમણા છે. જે કોઈ આચરણની વાત હોય એમાં દેશ-કાળ -પુરુષ વગેરેનો વિચાર આવે જ અને આ વિચાર આવે એટલે દેશ-કાળાદિમાં ધરખમ ફેરફાર થાય તો આચરણમાં પણ ફેરફાર થાય જ. અરે સંયમજીવનના પ્રાણ જેવા મહાવ્રતમાં પણ ફેરફાર થયેલો છે તો બીજાં આચરણોની શું વાત કરવી ? બાવીશ તીર્થકર ભગવંતોના શાસનમાં ચાર મહાવ્રત હતા.. અને પ્રભુવીરના શાસનમાં ચારના પાંચ મહાવ્રત થઈ ગયા. અને એટલે જ પ્રભુ પાર્શ્વના જે મહાત્માઓ પ્રભુવીરના સંઘમાં સામેલ થયા તેઓને ફરીથી મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવ્યા (વડદીક્ષા કરવામાં આવી). આમ મહાવ્રતો પણ જો સંયોગને આધીન છે તો બાકીના આચરણોનું પૂછવાનું જ શું ? તમે જે સિદ્ધાન્ત-સામાચારી માટે કલ્પના કરી છે એને જ અનુસરવાનું હોય તો લોકાકાશ ૧૪ રાજ ઊંચો છે, ૧-૫-૧-૭ રાજ વ્યાસ ધરાવનારો છે.. વગેરે શાસ્ત્રીય વાતો કે જે આપણા આચરણમાં ઉતરતી નથી. એને જ સિદ્ધાન્ત કહેવા પડે. બાકી જે આપણા આચરણનો વિષય બને છે એ બધી બાબતોને સામાચારી કહેવી જ પડે. અને એ તો દેશ-કાળાદિ બદલાયે બદલાઈ પણ શકે છે. તિથિ પણ આપણી આચરણાનો વિષય છે, ને તેથી એ પણ સામાચારીરૂપ બનવાથી “એમાં ફેરફાર ન જ થઈ શકે એમ શી રીતે કહી શકાય? બાકી, અતિથિમાં કોઈ કાળે ફેરફાર ન જ થઈ શકે આવું જ જો માનવાનું હોય તો શ્રીકાલિકસૂરિ મહારાજ પણ પાંચમની ચોથ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy