SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા લેખાંકમાં આપણે વિચારી લેખાંક રહ્યા હતા કે આચાર્ય વગેરે સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ દેશ-કાળાદિની - ૧૦ પરિસ્થિતિને જોઈને આચરણમાં પરિવર્તન કરે ત્યારે એ પરિવર્તનવાળી પ્રવૃત્તિઓ માટે શાસ્ત્રપાઠ માગવા જોઈએ કે નહીં ? એવી પ્રવૃત્તિનો નિષેધ કરનાર શાસ્ત્રવચનોને કે તે પ્રવૃત્તિ કરતાં જુદા પ્રકારની પ્રવૃત્તિને જણાવનાર શાસ્ત્રવચનોને આગળ કરીને એ ફેરફારવાળી પ્રવૃત્તિને શાસ્ત્રવિરુદ્ધ કહેવાય કે નહીં ? તેમજ એવા ફેરફારવાળા પ્રવૃત્તિ કરનાર મહાત્માઓને વિરાધક, આજ્ઞાભંજક, ગુરુદ્રોહી, મિથ્યાત્વી, કુગુરુ વગેરે કહી શકાય કે નહીં ? કે પછી એ પ્રવૃત્તિ પણ જીતવ્યવહાર રૂપ બનીને માર્ગરૂપ-આરાધનારૂપ બને? શંકા - આવો પ્રશ્ન – એનો વિચાર કેમ કરવો પડે છે ? જે આચરણ જીતવ્યવહારરૂપ બની શકે એ માટે શ્રીધર્મરત્નપ્રકરણની ૯૯મી ગાથામાં ‘ણ ય પડિસિદ્ધ' એવો અંશ જણાવેલો જ છે. એટલે કે શાસ્ત્રોમાં જેનો નિષેધ ન હોય તેવું આચરણ જ જીતવ્યવહારરૂપ બની શકે છે. એટલે જે જે આચરણને નકારનાર શાસ્ત્રવચન મળતાં હોય તે તે આચરણ જીતવ્યવહારરૂપ બની શકતું નથી. ને તેથી એ માર્ગરૂપ ન બનવાથી એના આચરનારાઓ વિરાધક બને જ એ સ્પષ્ટ છે. સમાધાન - ગયા લેખમાં આપણે વિચારી ગયા છીએ કે શાસ્ત્રોમાં મળતા નિષેધ બે પ્રકારે હોય છે. સર્વથા નિષેધ (= કોઈપણ પરિસ્થિતિમાં એનો નિષેધ જ રહે, વિધાન ન થાય એવો નિષેધ) અને સામાન્ય અંશતઃ નિષેધ (= સામાન્ય રીતે નિષિદ્ધ હોય, પણ એવી કોઈ વિશેષ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય તો એ વિહિત પણ બની શકે.) અબ્રહ્મ એ સર્વથા નિષિદ્ધ છે ને દોષિત ભિક્ષા વગેરે સામાન્યરૂપે નિષિદ્ધ છે. શ્રી ધર્મરત્નપ્રકરણમાં ‘ણ ય પડિસિદ્ધ જે કહ્યું છે તેનો અર્થ “સર્વથા નિષિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy