SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૬ ૧ આ બધા પરથી સિદ્ધ થાય છે કે કાર્ય માત્ર પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ એ કારણ છે. તેથી લેણુકાદિ કાર્ય માટે એના ઉપાદાનભૂત પરમાણુ વગેરેનું પ્રત્યક્ષ જોઈએ જ. એ પ્રત્યક્ષ મારા તમારામાં સંભવતું નથી. માટે આપણા બધા કરતાં વિલક્ષણ એવો ઈશ્વરાત્મા આ પ્રત્યક્ષના જ્ઞાની તરીકે સિદ્ધ થાય છે. સમાધાન - આ રીતે જ્ઞાનને કાર્ય માત્ર પ્રત્યે કારણ માનવું એ અમને ઈષ્ટ જ છે (ઈષ્ટાપત્તિ જ છે), કારણકે અમે પણ એવું માનીએ જ છીએ. શંકા - આવાં કાર્યો તો સૃષ્ટિકાળથી ચાલ્યા કરે છે. એટલે તેના ઉપાદાન પ્રત્યક્ષ-જ્ઞાનનો જ્ઞાની કોને માનશો ? કારણકે તમને માન્ય સર્વજ્ઞ તો દોષધ્વસ થયા પછી સર્વજ્ઞ બન્યા છે. જ્યારે આ કાર્યો તો એ પૂર્વે પણ થતા હતા. એટલે એ કાર્યોના ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયભૂત નિત્યજ્ઞાની-નિત્યનિર્દોષ આત્મા જગત્કર્તા તરીકે સિદ્ધ થાય છે. સમાધાન - આ કાર્યો જેમ અનાદિકાળથી ચાલે છે એમ સર્વજ્ઞભગવંતો પણ પ્રવાહથી અનાદિ છે. એટલે કે કોઈ કાળ એવો હતો નહીં કે જ્યારે કોઈ જ સર્વજ્ઞ ન હોય. માટે એ પ્રત્યક્ષના જ્ઞાની તરીકે કોઈ નવા નિત્યનિર્દોષ ઈશ્વરાત્માની કલ્પના કરવાની જરૂર નથી. શંકા - ક્યણુકાદિ કાર્ય પ્રત્યે પણ જ્ઞાન કારણ તરીકે તમને માન્ય છે, એવું કયા શાસ્ત્રવચનના આધારે કહો છો ? સમાધાન - “ભગવાને જે પ્રમાણે જે જોયું હોય તે પ્રમાણે તે પરિણામે છે' આવું જણાવનાર શાસ્ત્રવચનના આધારે. આનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે તે તે વસ્તુ તે તે રૂપે પરિણમવા માટે ભગવજ્ઞાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy