SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મલમલિન વસ્ત્ર, સંયમની પૂંજવા-પ્રમાર્જવાની જયણા વગેરેની ઝીણી ઝીણી વાતો ને કાળજી....... આવું બધું બાહ્ય આચરણ ખૂબ કડક જોવા મળતું હોય... પણ સાથે પોતાના આવા આચરણનું અભિમાન.... બીજા આચરણમાં આટલા કડક ન હોય એમનો તિરસ્કાર.... એમની ઇચ્છાઅભિપ્રાયથી જરાક પણ ઓછું-વતુ કે આવું-પાછું થાય તો ભારે અકળામણ કે માન-સન્માન થોડા પણ ઓછા મળે તો પણ એ જ અકળામણ... આવું બધું આંતરિક વલણ હોય તો પણ મધ્યમજીવો આ બીજા મહાત્માને જ ઉત્તમ માને છે, સુંદર આત્મપરિણતિ કેળવેલા પ્રથમ મહાત્માને નહીં. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર અષ્ટકમાં આ વાત આ રીતે કરી છે. भस्मना केशलोचेन वपु तमलेन च । महान्तं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्त्ववित् ।। અર્થ : ભસ્મછત્ર શરીર, કેશલોચ, શરીર પર જામેલો મેલ... આ બધું જોઈને જ બાહ્ય દૃષ્ટિવાળો (મધ્યમ) જીવ સામી વ્યક્તિને મહાનું માની લે છે. જ્યારે તત્ત્વનો જાણકાર (પંડિત) જીવ ચિત્તસામ્રાજ્ય પરથી (ચિત્તની નિર્મળતા પરથી) મહાનતાનો નિર્ણય કરે છે. સ્થાનકવાસી વગેરે જે કોઈ ફાંટાઓ પડ્યા પછી ઘણા ફેલાયા.... એમાં તે તે ફાંટાના પ્રારંભિક પુરુષ વગેરેના (ભલે શાસ્ત્રવિરુદ્ધ હોય ને પરિણામે નુકશાનભર્યા હોય એવા પણ) કડક બાહ્ય આચાર જોઈને એમના તરફ આકર્ષાઈ જનારા મધ્યમ જીવોનો હિસ્સો નાનો સૂનો નથી. વર્તમાનમાં પણ આવું કેટલુંક જોવા મળતું હોય છે. જે શ્રાવકના ઘરમાં લીંપણ હોય.... કાંસાના વાસણ હોય.... કાનમાં બુટીયા હોય.... એ ઊંચો આરાધક. ને બીજા એવા ઊંચા આરાધક નહીં.... છ'રી પાલિત સંઘ વગેરેમાં બળદગાડાં હોય, પેટ્રોલ-લાઈટનો ઉપયોગ ન હોય.... (સોએ સો ટકા કે લોકનજરમાં આવે એટલું આવશ્યકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy