SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે માંડે છે. માટે આ રીતે કરાતું કારણિક અનુકંપાદાન નિર્દોષ રહે છે. એટલે શ્રોતાને બોધિપ્રાપ્તિ થાઓ... વગેરે ઉદેશથી થતા ઉપદેશદાનમાં જેમ સાધુને સ્વભૂમિકાના ઔચિત્યનું ઉલ્લંઘન નથી ને બોધિ પમાડવાનો વિશુદ્ધ આશય હોય છે, એમ પ્રસ્તુત અનુકંપાદાનમાં જાણવું. પ્રશ્ન : આશય વિશુદ્ધ હોય એટલા માત્રથી શું થઈ ગયું ? અસંયતને દાન દેવાની ક્રિયા તો એની એ જ રહેવાથી એ અધિકરણરૂપ કેમ ન બને ? ઉત્તર ઃ ના, ક્રિયા એની એ જ રહે છે એવું નથી. વિશુદ્ધ આશયવાળી ક્રિયા અને વિશુદ્ધ આશય વિનાની ક્રિયા આ બંને અલગ હોય છે. કોઈપણ વસ્તુને જોવાના અલગ અલગ દૃષ્ટિકોણ એ નય કહેવાય છે. આવા દૃષ્ટિકોણ મુખ્ય રીતે સાત હોવાથી મુખ્યમય પણ સાત છે. નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત. આમાંથી વ્યવહાર અને ઋજુસૂત્ર... આ બે નયનો પ્રસ્તુતમાં થોડો વિચાર કરીએ. ઘણુ ખરું જે લોકવ્યવહારને અનુસરનારો છે એવો દૃષ્ટિકોણ એ વ્યવહારનય કહેવાય છે. વર્તમાનમાં સ્વને ઉપયોગી બને એવી વસ્તુને જ તે તે વસ્તુ તરીકે જોનાર દૃષ્ટિકોણ એ ઋજુસૂત્રનય છે. આ બંને નયની દૃષ્ટિ કેવી કેવી રીતે જુદી પડે છે એ આપણે કેટલાંક દૃષ્ટાંતો દ્વારા સમજીએ. જો આ કરોડપતિ રમેશ રોડપતિ બની ગયો...” આવું વાક્ય વ્યવહારનયને માન્ય છે કારણ કે ભૂતકાલીન કરોડપતિપણું પણ એને માન્ય છે. ઋજુસૂત્ર રમેશનો કરોડપતિ તરીકે ઉલ્લેખ કરવા તૈયાર નથી, કારણ કે વર્તમાનમાં એ કરોડપતિ નથી. અર્થાત્ ઋજુસૂત્ર માત્ર વર્તમાનને જ નજરમાં લે છે, ભૂત-ભવિષ્યને નહીં. વર્તમાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy