SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૧, લેખાંક-૩ ૨૩ લગ્ન પ્રસંગનું એક અંગ છે. કહેવાય છે કે ‘‘સાસુએ જમાઈનું નાક ખેંચવું” એ બાબત લગ્નના એક અંગરૂપે ત્યારથી પ્રસિદ્ધ થઈ. એટલે નક્કી થયું કે અનુકંપાદાન પણ ધર્મનું એક અંગ છે, કારણ કે પ્રભુએ ધર્મના અવસરે એ આપ્યું છે. વળી પ્રભુ તો જેમ ગૃહસ્થો માટે, એમ સાધુઓ માટે... બધા માટે મહાન છે, અનુકરણીય છે... એટલે આ પણ નક્કી થાય છે કે ગૃહસ્થો કે સાધુઓ.... બધાએ પોતપોતાની ભૂમિકાનું ઔચિત્ય જાળવીને અનુકંપાદાન દેવું એ ધર્માંગ છે - શુભ આત્મપરિણામરૂપ ધર્મનું કારણ છે. પ્રશ્ન : તો શું સાધુએ પણ અનુકંપા દાન દેવું જોઈએ ? ઉત્તર : હા, એવું પ્રબળ કારણ ઉપસ્થિત થયું હોય તો સાધુપણ અનુકંપાદાન આપી શકે. શ્રી મહાવીર પ્રભુએ દીક્ષિત અવસ્થામાં વિશેષ પ્રકારની અનુકંપાથી પ્રેરાઈને બ્રાહ્મણને (અડધું) દેવદૃષ્ય આપ્યું હતું ને શ્રી આર્ય સુહસ્તિગિરિએ સંપ્રતિરાજાના જીવ ભિખારીને અનુકંપાદાન રૂપે ભોજન આપ્યું હતું ને ! - આમાં રહસ્ય આ છે કે - સામાન્યથી અસંયતને જે ભોજનાદિ આપવામાં આવે એનાથી પરિણામે એના અસંયમની જ વૃદ્ધિ થાય છે. એટલે બીજું કોઈ વિશેષ કારણ ન હોય ત્યારે મનમાં અસંયમની વૃદ્ધિ જ ડોકાયા કરે છે, બીજો કોઈ ભાવ આવી શકતો નથી. અસંયમની વૃદ્ધિ દેખાતી હોવા છતાં એની ધરાર ઉપેક્ષા કરીને સાધુ જો અસંયતને દાન આપે તો એ અધિકરણરૂપ બને, સાધુની દુર્ગતિના કારણરૂપ બને એ સ્પષ્ટ છે. પણ જ્યારે એવી કોઈ વિશેષ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય ત્યારે જો અનુકંપાદાન દેવામાં આવે તો એનાથી એ દાન લેના૨ અસંયતને બહુમાનાદિ થવા દ્વારા બોધિપ્રાપ્તિ વગેરે થાય છે. તેથી, સાધુના મનમાં, એના અસંયમની વૃદ્ધિનું દૃશ્ય દબાઈ જઈને એ અનુકંપા દ્વારા એને થનાર બોદ્ધિપ્રાપ્તિ વગેરેનું દૃશ્ય રમવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy