SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય તો ત્યાં અનુકંપા નથી. એટલે સંગ્રહણીના દર્દીને દૂધપાક આપવામાં ખુદને જ તીવ્ર દુઃખના ભોગ બનવાનું છે, માટે દૂધપાક આપવો એ અનુકંપાદાન નથી, અને જાળ ન હોવાથી દુ:ખી થયેલા માછીમારને જાળ આપવામાં સેંકડો હજારો માછલીઓને જાન ગુમાવવાનું બહુ મોટું દુ:ખ આવી પડે છે, માટે માછીમારને જાળ આપવામાં અનુકંપાદાન નથી. પ્રશ્ન ઃ પણ એને જાળ જો આપવામાં ન આવે તો એ ને એનો પરિવાર ભૂખે મરી રહ્યો છે. તો એ મરવા દેવાનો ? ઉત્તર ઃ ના, એને બીજો અનવદ્ય અનિન્ય ધંધો બતાવી શકાય, શીખવાડી શકાય, આપી શકાય. આવા પ્રસંગો પૂર્વકાળમાં પણ બનેલા છે. પ્રશ્ન : પણ, “પરાપૂર્વથી આવેલો આ ધંધો છોડવા હું તૈયાર નથી, મારે તો આ ધંધો જ કરવો છે. મને જાળ અપાવી ઘો...'' આવું જ એ કહેતો હોય તો ? ઉત્તર ઃ આપણે એને હિંસાના દુષ્પરિણામો સમજાવવાનો પ્રયાસ કરવો. સમજે તો વાહ વાહ, નહીં સમજે તો ઉપેક્ષા ક૨વી. પ્રશ્ન : પણ, તો એ ને એનો પરિવાર ભૂખે મરવાનું દુઃખ તો ઊભું જ રહ્યું ને ? ઉત્તર ઃ હા, પણ એમાં આપણે શું કરી શકીએ ? એમ તો કોઈ યુવક અન્યની રૂપસુંદર પત્ની જોઈને મોહિત થઈ ગયો. ભોજનની અરુચિ થવી.. જ્વર (તાવ) આવવો... વગેરે વગેરે મોત સુધીની કામની ૧૦ અવસ્થાઓ હોય છે. એ યુવક પણ ક્રમશઃ આ ત્રાસદાયક અવસ્થાઓનો ભોગ બની રહ્યો છે. ‘બસ, મને એ (૫૨) સ્ત્રી લાવી આપો...’' આ જ એની હઠ છે... એ ન મળે તો ઉત્તરોત્તર વધુ ને વધુ દુ:ખી બનતો જાય છે. તો શું એને એ સ્ત્રી લાવી આપી શકાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy