SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : લાભનો નિર્ણય જ પ્રવૃત્તિ કરાવે એવો નિયમ નથી. પણ લાભની પ્રબળ સંભાવના પણ પ્રવૃત્તિ કરાવે છે. જેમકે વૃષ્ટિ થશે જ અને પાક આવશે જ એવો નિર્ણય નહીં, પણ સંભાવના માત્ર કરીને ખેડૂત ખેતરને ખેડે છે. પ્રશ્ન : જે શ્રોતા સાવ નવો સવો - પ્રથમ વાર આવ્યો છે. એટલે કે જેનો પોતાને કશો પરિચય નથી એવા જીવ માટે તો કઈ ભૂમિકા છે? એની સંભાવના પણ વક્તા કઈ રીતે કરે ? અને દેશના કેવી આપે ? ઉત્તરઃ દુકાનદાર પાસે એ ટુ ઝેડ બધા પ્રકારનો માલ છે. ૧૦ રૂ. ની કિંમતવાળો માલ પણ છે. ૧૦૦ રૂ. વાળો ને ૧૦૦૦ રૂ. કિંમતવાળો પણ માલ છે. ઘરાકને દુકાનદાર માલ કયા ક્રમે દેખાડે ? જો ઘરાક પરિચિત હોય ને તેથી દુકાનદાર એની કેપેસીટી જાણતો હોય તો એને અનુરૂપ જ માલ દેખાડે. હજાર રૂપિયાનો માલ ખરીદી શકે એને હલકો માલ દેખાડે ને એ ખરીદીને જ એ ચાલ્યો જાય તો નુકશાન પોતાને પણ છે ને ઘરાકને પણ છે. છતે પૈસે હલ્કો માલ વાપરવો પડે એ નુકશાન નથી? આ વાત દુકાનદાર સારી પેઠે સમજતો હોવાથી એને એની શક્તિને અનુરૂપ જ માલ દેખાડે છે.... આવું જ ગીતાર્થવક્તા કરે છે. કારણ કે શ્રોતા સર્વવિરતિ વગેરે માલ લેનાર ઘરાકના સ્થાને છે ને ઉપદેશક વક્તા આ માલ દેખાડનાર - વેચનાર - દુકાનદારના સ્થાને છે. શ્રી યોગશતકમાં ભૂમિકાને ઉચિત દેશના આપવાનું જે કહ્યું છે તે આ પ્રકારનું છે. પણ જો દુકાનદારને, ઘરાકનાં કપડાં - ઘરાકની બોલચાલની રીતભાત-ઘરાકની સાથે આવેલ વ્યક્તિઓ વગેરે પરથી એવી સબળ સંભાવના થઈ ગઈ હોય કે “આને હજાર રૂપિયાનો માલ દેખાડવાથી ‘આમાં આપણું કામ નહીં એમ સમજીને ભાગી જ જાય એવો છે.. પછી સો રૂપિયાનો માલ જે દેખાડવાનો છે તે જોવા પણ ઊભો નહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy