SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૩ ૧૨૭ પ્રવૃત્તિ શી રીતે કરી શકાય? મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થીને તો પંડિત જ પામી શકે છે. શંકા - બાળજીવને લોચ, પૃથ્વી પર સંથારો, તપશ્ચર્યા વગેરે સાધુ જીવનના જે બાહ્ય આચારો છે તેની દેશના આપવાનું તમે કહ્યું, જ્યારે યોગશતકમાં અપુનર્બન્ધક જીવને લૌકિકધર્મની, સમ્યગદષ્ટિને શ્રાવક ધર્મની, શ્રાવકને સર્વવિરતિની અને સાધુને સામાચારીની દેશના આપવાનું કહ્યું છે. અપુનર્બન્ધક જીવ બાળ હોવો સમજાય છે. એટલે આ લેખમાળાના આધારભૂત કાન્નિશાર્નાિશિકા પ્રત્યે પ્રમાણે એને સાધુના બાહ્ય આચારોની દેશના આપવાનું જણાય છે, ને યોગશતકના મતે લૌકિક ધર્મની દેશના આપવાનું જણાય છે, તો આ બેમાં વિરોધ નહીં? વળી આવશ્યક નિર્યુક્તિની ૧૬૧૮ મી ગાથાની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે એમ જણાવ્યું છે કે પહેલાં સર્વવિરતિ બતાવવી ને પછી દેશવિરતિ બતાવવી. એમ બૃહત્કલ્પ સૂત્રના પ્રથમ ઉદેશામાં ૧૧૩૯ મી ગાથામાં “પહેલાં સર્વવિરતિનો ઉપદેશ આપવો. એનો પરિણામ ન જાગે તો દેશવિરતિનો ઉપદેશ આપવો... એનો પરિણામ પણ ન જાગે તો સમ્યકત્વનો... ને છેલ્લે મઘમાં નિવૃત્તિનો...” આવો ક્રમ દર્શાવ્યો છે. આ ક્રમ જાળવવામાં ન આવે તો પ્રાયશ્ચિત્ત પણ દર્શાવ્યું છે. જ્યારે યોગશતકમાં સમ્યગદષ્ટિ જીવને પહેલાં સાધુધર્મ નહીં. પણ શ્રાવક ધર્મ દર્શાવવો. આવી વાત લોક નંબર ૨૮ માં સકારણ જણાવી છે. એટલે આનો પણ વિરોધ નથી? સમાધાન - વક્તાએ ઉપસ્થિત થયેલા શ્રોતાની ભૂમિકા બે રીતે તપાસવાની હોય છે (૧) એને ધર્મમાર્ગે જોડવા અંગેની ભૂમિકા અને (૨) તત્ત્વને સમજવા અંગેની એની ભૂમિકા. આમાંની પ્રથમ ભૂમિકા મુખ્યતયા મોહનીય કર્મના ક્ષયોપશમથી પેદા થાય છે ને એ ક્ષયોપશમને અનુસારે એના અપુનર્બન્ધક, અવિરત સમ્યકત્વી, દેશવિરતિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy