SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. માટે તો તેઓની સમક્ષ વધુ સૂક્ષ્મ વિધિ - વિધાન સહિતની સમિતિ વગેરેની દેશના આપવાનું વિધાન છે. આ જીવોની બુદ્ધિ પંડિત જીવોની બુદ્ધિ જેટલી વિકસેલી ન હોવાથી, સુંદર આચાર માર્ગ જોવા મળી જાય તો પછી એના મૂળભૂત સિદ્ધાંતો આ અહિંસા વગેરેને અનુરૂપ છે કે નહીં? એ જોવાની એમને જરૂર જણાતી નથી. પંડિત જીવો શાસ્ત્રતત્ત્વને જુએ છે. એટલે કે જે ધર્મના શાસ્ત્રોનો સિદ્ધાંત એવો હોય કે જેના પર અહિંસા વગેરે સંગત કરે તેને તેઓ યોગ્ય માને છે. અર્થાત્ જે ધર્મ તાપ પરીક્ષામાં પાસ થાય અને તેઓ “ધર્મ' તરીકે સ્વીકારે છે. તેઓ વૃત્તને પણ જુએ છે. તેમ છતાં વૃત્ત કરતાં પણ અનેકગણું વધારે મહત્વ મૂળભૂત સિદ્ધાંતને જ આપતા હોય છે. એટલે એક કઠોર આચારપાલન કરનારા ગચ્છ બહાર થયેલા સાધુ છે અને એક શિથિલ બનેલા સંવિઝપાક્ષિક છે (આચારમાં શિથિલ બન્યા હોય પણ નિરૂપણમાં શુદ્ધ દેશના આપનારા હોય. પોતાની શિથિલતાનો બચાવ નહીં. પણ રંજ હોય. આવા સાધુ સંવિગ્નપાક્ષિક કહેવાય છે.) તો આ બેમાં પંડિત જીવ સંવિગ્નપાક્ષિકને જ ઊંચા માનશે, ગચ્છબાહ્યને નહીં. શાસ્ત્રમાં આવી જ જે વાત કરી છે એ પણ એને એકદમ તર્કસંગત લાગશે... આમાં કોઈ અસંગતિ શંકા કે આશ્ચર્ય નહીં લાગે. પણ જે મધ્યમજીવ હોય એને તો બેમાંથી કઠોર આચારવાળો ગચ્છબાહ્યજીવ જ વધારે ઊંચો લાગે છે, એ જાણવું. પદાર્થ વાક્યર્થ વગેરેની વિચારણા કરીએ તો પૂર્વે જણાવ્યા મુજબ બાળજીવ માત્ર પદાર્થ સુધી પહોંચે છે. મધ્યમજીવ વૃત્તને - આચરણને – પ્રવૃત્તિને મુખ્ય કરનાર હોવાથી વાક્યર્થ સુધી પહોંચી શકે છે. “કોઈને પીડા ન કરવી એવું જાણ્યા પછી જિનભવન વગેરે પ્રવૃત્તિનો વિચાર કરતાં, જો એ પૃથ્વીકાયાદિને જીવ તરીકે જાણતો હોય તો એને શંકા પડી શકે છે કે – આમાં તો અન્ય જીવને પીડા પહોંચે છે, માટે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy