SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૧ બત્રીશી-૨, લેખાંક-૧૨ આમ, ભાવનાજ્ઞાન ન હોય તો ધર્મબુદ્ધિથી કરેલું ધર્માનુષ્ઠાન પણ અધર્મરૂપ બને છે. એનાથી જણાય છે કે પરલોકસંબંધી વિધિરૂપે કરવામાં આવતી ધર્મક્રિયા વાસ્તવમાં ધર્મ' રૂપ બને છે કે નહીં ? એ જાણવા માટે ભાવનાજ્ઞાનથી ભાવિત કરેલ શાસ્ત્રતત્ત્વ સિવાય બીજો કોઈ સબળ આધાર નથી. એટલે કે આવું શાસ્ત્રતત્ત્વ જ અન્ય પર આધાર રાખ્યા વિના પ્રમાણભૂત બને છે. તાત્પર્ય એ છે કે પરલોક માટે યાવતું પરમલોક માટે હિતકર બને એવી ઈચ્છાથી જે કાંઈ અનુષ્ઠાન કરાય તે બધું ભાવનાજ્ઞાનથી ભાવિત કરેલ શાસ્ત્ર તત્ત્વના આધારે કરવું, માત્ર સ્વકલ્પનાનિર્મિત તકના કે શ્રુતજ્ઞાનના આધારે નહીં. શાસ્ત્રતત્ત્વને પંડિતજીવ જ જાણી શકે છે અને ભાવનાજ્ઞાનથી ભાવિત કરી શકે છે, એ આપણે જોઈ ગયા છીએ. માટે આત્મહિતની જેને ઇચ્છા છે એણે સ્વયં પંડિત બનવું જોઈએ અથવા પંડિત જીવની નિશ્રા સ્વીકારવી જોઈએ.. આ રહસ્ય છે. શ્રીલલિતવિસ્તરા ગ્રન્થમાં શ્રત, ચિત્તા અને ભાવના આ ત્રણે જ્ઞાનને જળ, દૂધ અને અમૃતની ઉપમા આપેલી છે. જેમ જળ કરતાં દૂધ અને દૂધ કરતાં અમૃત વધારે દાહશામક અને વધારે મિઠાશવાળું હોય છે એમ શ્રુતજ્ઞાન કરતાં ચિન્તાજ્ઞાન અને ચિન્તાજ્ઞાન કરતાં ભાવનાજ્ઞાન વધારે વિષયતૃષ્ણાશામક હોય છે. અથવા જળથી શુષ્કતા મટી ભિનાશ આવે, દૂધથી રુક્ષતા જઈ સ્નિગ્ધતા આવે અને અમૃતથી મૂચ્છ-જડતા જઈ ચૈતન્ય સ્કુરાયમાણ થાય. એમ શ્રુતજ્ઞાનથી વિષયતાપની શુષ્કતા મટી ઉપશમની ભિનાશ આવે, ચિન્તાજ્ઞાનથી વિષયચિંતાની રુક્ષતા મટી તત્ત્વચિંતનની નિગ્ધતા આવે અને ભાવનાજ્ઞાનથી વિષયરસની જડતા મટી તત્ત્વના સદાગ્રહનું ચૈતન્ય આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy