SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૭ પાપ નહીં કરું.. એવો નિયમ) વગેરે જે અવિસંવાદી વાતો કહેલી છે તેનો તિરસ્કાર એ દૃષ્ટિવાદનો તિરસ્કાર છે એવું ઉપદેશપદની ૬૯૩-૬૯૪ મી ગાથામાં કહ્યું છે. ત્યાં કહ્યું છે કે “અન્ય દર્શનમાં જે વાત, જૈનદર્શનમાં કહેલી વાતને સમાન હોય, પછી ભલે ને એની રજુઆત એ જ શબ્દોમાં હોય કે અન્ય શબ્દોમાં, પણ સમાન અર્થવાળી વાતનો પ્રષ રાખવો એ મોહ છે. શ્રી જૈનશાસનમાં રહેલા સાધુ વગેરે માટે તો એ વિશેષરૂપે મોહમય છે. દ્વાદશાંગી સર્વમાન્યતાઓનું મૂળ છે. તે માટે રત્નાકર સમાન છે. તેથી અન્યશાસ્ત્રોમાં જે કાંઈ સુંદર વાતો મળે એનો દ્વાદશાંગીમાં સમવતાર કરવો, પણ તિરસ્કાર ન કરવો. કારણ કે એની અવજ્ઞા કરવામાં દ્વાદશાંગીના અર્થથી રચયિતા શ્રી જિનેશ્વરદેવની અવજ્ઞા થતી હોવાથી કોઈ કલ્યાણપ્રાપ્તિ થતી નથી.' હવે ત્રીજા ભાવનામયજ્ઞાનની હાજરીમાં શું થાય છે ? એ વિચારવાનું છે. દ્વાદશાંગી સર્વદર્શનોનું મૂળ છે. જૈનદર્શન સર્વદર્શનોના સમૂહરૂપ છે. આવી બધી બુદ્ધિ વિકસેલી હોવાથી અન્યદર્શનમાં રહેલા જીવો પર હરીફ” વગેરેપણાંનો ભાવ ઊભો થતો નથી, પણ એમના પર પણ અનુગ્રહ કરવાની પરિણતિ ઊભી થાય છે. આવી પરિણતિ પણ એક પ્રકારની સમાપત્તિ છે. આ સમાપત્તિના પ્રભાવે જે ભવ્ય જીવનું જે રીતે હિત સંભવિત હોય એવી પ્રવૃત્તિ ચારિસંજીવિની ચાર ન્યાયે પ્રવર્તે છે. ચારિ સંજીવનીચારનું દૃષ્ટાન્ત આવું કહેવામાં આવે છે - પતિ હંમેશા પોતાને વશ રહે એ માટેનો ઉપાય એક સ્ત્રીએ જોગિણીને પૂછ્યો. જોગિણીએ દર્શાવેલો ઉપાય અજમાવવા પર પતિ બળદ બની ગયો. (હા, વવશ બન્યો, પણ બળદ રૂપે.) પછી તો એ સ્ત્રીને ઘણું દુઃખ થયું. પસ્તાવો થયો. હવે, એ જ બળદને ચારો ચરાવવા લઈ જાય છે. એકવાર પોતે વડલાની નીચે બેઠી હતી. ત્યારે ત્યાં આવેલી અને પરસ્પર વાત કરતી વિદ્યાધરી પાસેથી એટલું સાંભળવા મળ્યું કે આ જ વડ નીચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy