SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૧ અલગ-અલગ હોવી જોઈએ. પૂર્વે જે કહ્યું હતું તે કઈ અપેક્ષાએ ? અને હાલ જે કહી રહ્યા છે. તે કઈ અપેક્ષાએ ? આ અપેક્ષાઓ માટે ખોળી કાઢવી જોઈએ. હું ન ખાળી શકું તો મારે બીજા બહુશ્રુતને પુછવું જોઈએ....” આવો બધો ગર્ભિત આશય હોય તો જીવ પ્રતિક્રમણને બેમાંથી એકે રૂપ ન માનવાની અશ્રદ્ધાનો કે બન્ને વચ્ચે ઝોલા ખાયા કરતા સંશયનો ભોગ બનતો નથી, પણ બંન્ને વાત સાચી હોવાની નયદૃષ્ટિ પામે છે. જે જીવોને દર્શનમોહનીયનો ક્ષયોપશમ છે નહીં, અથવા છે તો પણ બહુ જ મંદ છે એવા જીવોને આમાંની પ્રથમ બે શક્યતાઓ સંભવે છે... ને પરિણામે વિદ્યમાન હોય એ સમ્યક્ત પણ ચાલ્યું જાય છે. માટે કહ્યું છે કે શંકાએ સમકિત જાય. આવા જીવોને ઊઠેલો ઉપરનો પ્રશ્ન “શંકા કહેવાય છે, ને એ ત્યાજ્ય છે. જેમનો દર્શનમોહનીયનો ક્ષયોપશમ નિર્મળ છે એમને ત્રીજી શક્યતા સંભવે છે. એમને ઊઠતો પ્રશ્ન “ચાલના” (જિજ્ઞાસા) (વાક્યાર્થ) કહેવાય છે ને એ, બોધની વિશદતા માટે ઉપાદેય છે. જે જીવોને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ મંદ છે એને માત્ર યથાશ્રુત અર્થબોધ થાય છે. પણ તેને તદ્વિષયક બીજું કશું જ યાદ આવતું નથી, માટે કથંભાવગર્ભિત આકાંક્ષારૂપ પ્રશ્ન ઊઠતો જ નથી. અને સાથે સાથે દર્શનમોહનીયનો ઉદય ( મિથ્યાત્વ) ગાઢ હોય તો પોતે કરેલા એ અર્થબોધનો અભિનિવેશ ( કદાગ્રહ) બંધાઈ જાય છે અને તેથી એને થયેલો બોધ “શ્રુતજ્ઞાન રૂપ બની શકતો નથી. જેને મિથ્યાત્વ ગાઢ નથી એવા જીવને અભિનિવેશ ન થતો હોવાથી બોધ “શ્રુતજ્ઞાન રૂપ બની શકે છે. જે જીવને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વિકસેલો છે એને કથંભાવગર્ભિત આકાંક્ષા (પ્રશ્ન) ઊઠે છે. પણ જો દર્શનમોહનીય ગાઢ હોય કે ગાઢ બનવા તરફ હોય તો આ પ્રશ્ન શંકરૂપ બની જાય છે. પણ જો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy