SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અને પંડિત જીવ તો શાસ્ત્ર તત્ત્વને પણ જાણી શકતો હોઈ એનાથી જ ધર્મનો નિર્ણય શા માટે ન કરે ? માત્ર દર્દીનો વેષ જેમ ભરોસાપાત્ર નથી. એમ “દર્દી દવા લઈ રહ્યો છે એટલું પણ પૂરતું નથી જ. એ દવા ચિકિત્સાશાસ્ત્રને અનુસરનારી છે કે નહીં, એ જોવું પણ આવશ્યક છે જ ને ! એટલે, ધર્મના નિર્ણય માટે જેમ બાહ્યલિંગ પર ભરોસો રાખવો એ યોગ્ય નથી એમ વૃત્ત પર ભરોસો રાખવો એ પણ યોગ્ય નથી એ નક્કી થયું. પંડિત જીવ ધર્મનો વાસ્તવિક નિર્ણય કરવા માટે શાસ્ત્રતત્ત્વને જુએ છે, ને ખરેખર એ જ એ માટેનો ભરોસાપાત્ર આધાર છે. એ આપણે જોયું. હવે શાશ્વતત્ત્વ શું છે ? એને આપણે વિચારીએ. જેમાં ઉત્સર્ગનું નિરૂપણ હોય અને અપવાદનું પણ નિરૂપણ હોય... જેમાં નિશ્ચયનયમાન્ય વાતો પણ હોય ને વ્યવહારનયમાન્ય વાતો પણ હોય... જે દષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ અર્થવાળું હોય. તેમજ ઐદંપર્યની વિશુદ્ધિવાળું હોય (એટલે કે તાત્પર્યથી શુદ્ધ હોય) તે શાસ્ત્રતત્ત્વઆગમતત્ત્વ છે. આ આગમતત્ત્વને એકમાત્ર પંડિતો જ જાણી શકે છે. આમાં દષ્ટ એટલે પ્રત્યક્ષ અને અનુમાનથી જાણેલા અર્થો તથા ઈષ્ટ એટલે પોતાના જ બીજા આગમોથી જાણેલા અર્થો. આ બંન્નેનો વિરોધ ન થાય એવા અર્થોનું પ્રતિપાદક શાસ્ત્ર જોઈએ. ટૂંકમાં જેમાં ઉત્સર્ગઅપવાદ પ્રતિપાદક ઘણાં સૂત્રો છે. દૃષ્ટથી અને ઈષ્ટથી અવિરુદ્ધ એવા આત્મા છે, પરિણામી છે, વિચિત્ર એવા પારમાર્થિક કર્મોથી બંધાયેલો છે, યોગ્ય ઉપાયોથી મુક્ત થાય છે. આવા બધા અર્થનું જેમાં પ્રતિપાદન છે.. તથા, “ઉપલક દૃષ્ટિએ વિરુદ્ધ ભાસતા પદાર્થોમાં પણ સર્વજ્ઞની આજ્ઞા જ પ્રમાણ છે એવી ઐદંપર્યશુદ્ધિ જેમાં મળે છે, તે આગમતત્ત્વ છે. વિવણિત શાસ્ત્ર આવું છે કે નહીં? ને તેથી “આગમરૂપ બનવાને યોગ્ય છે કે નહીં ? એનો વાસ્તવિક નિર્ણય પંડિતજીવ જ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy