SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અવસર આવ્યે અપવાદ પદે અશુદ્ધ ગોચરી વહોરવાનો પ્રસંગ આવે ત્યારે પણ ઉત્સર્ગને જ પકડી રાખવાના અભિપ્રાયવાળા હોય છે. ઉત્સર્ગને પકડી રાખવાની ક્ષમતા નથી ને છતાં પકડી રાખવા જાય તો ઘોર અહિત થાય એવું છે. પણ એટલે આચાર્ય ભગવંત એ વખતે અશુદ્ધ ગોચરી વહોરી લેવાનું કહે તો તેઓને એ વાત પર શ્રદ્ધા જ ન બેસે...ને આચાર્ય ભગવંત માટે પણ મનમાં ઘણા પ્રશ્નો નિર્માણ થાય... “અત્યાર સુધી તો અશુદ્ધ વહોરાય જ નહીં.. ખૂબ પ્રાયશ્ચિત્ત આવે.' વગેરે વગેરે વાતો કરતા હતા. ને હવે તેઓ જ દોષિત લેવાનું કહે છે. કહેવાનું કંઈક ને કરવાનું કંઈક આ તો માયાચાર ન કહેવાય? અથવા, શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે બધું કરવું જ જોઈએ એવું કાંઈ નહીં, કરવું હોય તો કરવું....ન કરવું હોય તો નહીં કરવું..... કાંઈ વાંધો નહીં..... અથવા, આચાર્ય મહારાજ પોતે ઢીલા પડ્યા છે. એમણે દોષ સેવવો છે, માટે આપણને પણ દોષ સેવવાનું કહે છે....” આવા બધા કંઈક તોફાની વિચારો અગીતાર્થ સાધુઓના મનમાં ઊઠવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે જંગલમાં અશુદ્ધ ગોચરી લેવાનો પ્રસંગ ઊભો થાય ને ત્યારે જ એની વાત કરવી એ લાભકર્તા રહેતી નથી. માટે જંગલમાં પ્રવેશ કરવાનો પ્રસંગ આવે એ પૂર્વે જ એમના કાને યથાયોગ્ય વાતો નાખી એમને અપવાદના પણ જાણકાર બનાવવા જોઈએ. જંગલમાં ભિક્ષામાં દોષ વગેરે જે કાંઈ અપવાદો સેવવાની સંભાવના હોય એ બધાનું જેમાં વર્ણન આવે છે તે અધ્વાકલ્પ (અધ્વા=માર્ગ....એનો કલ્પ-આચાર... દીર્ધ અટવીનો માર્ગ કાપવાનો હોય એ વખતના આચારો) અગીતાર્થોને કહેવો આવો આચાર્ય ભગવંતનો આચાર શાસ્ત્રમાં દર્શાવ્યો છે. એટલે એવા પ્રસંગે એમને અધ્વાકલ્પ કહેવાનું શરુ કરે ત્યારે પણ અગીતાર્થોને આચાર્ય ભગવંત પર અવિશ્વાસ ન થવો જોઈએ કે શાસ્ત્રમાં તો નિર્દોષ જ લેવાનું કહ્યું છે, આ બધું તો આચાર્ય મહારાજ પોતાની કલ્પેલી બધી વાતો કહે છે. એટલે શિષ્યોનો વિશ્વાસ જળવાઈ રહે એ માટે આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy