________________
કંઈક સરળ લખાણ પણ તૈયાર કર્યું... ‘તત્ત્વાવલોકનસમીક્ષા' પ્રકાશિત થયા બાદ એના પર કંઈક વિશેષ શંકા વગેરે સામા પક્ષ તરફતી ઊઠાવાય તો એના પણ સમાધાન ભેગા આપી દેવાય એવી ગણતરીથી એ પ્રકાશિત નહોતું કર્યું. પણ ઘણો વખત થવા છતાં કાંઈ વિશેષ પ્રશ્નો સામો પક્ષ એની સામે ઊઠાવી શક્યો નથી. એટલે હવે આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. એમાં, વર્તમાનમાં દેવદ્રવ્ય અંગે ચાલી રહેલી વાતોનો પણ કેટલોક અંશ ઉમેરી દેવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં પૂર્વગ્રહરહિતપણે અને શાસ્રસાપેક્ષ રહીને વિધર્ય પૂ.મુનિરાજશ્રી અભયશેખરવિજય ગણિવરે, જિજ્ઞાસુઓ વગેરે દ્વારા ઊઠાવાયેલા પ્રશ્નોના શાસ્ત્રાધારો સહિત યથાર્થ શાસ્ત્રાર્થ બતાવીને તથા સચોટ તર્કો અને યુક્તિઓ આપીને સમાધાનકારી ઉત્તરો આપ્યા છે. કોઈ પણ મધ્યસ્થ જિજ્ઞાસુ સરળતાથી સત્યને સમજી શકે તેવી અદ્ભુત રજુઆત પૂ. ગણિવરે કરી છે.
મધ્યસ્થ અને ભદ્રિક જીવો પ્રત્યેના ભાવઉપકારની બુદ્ધિથી અમે આ પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છીએ. આ પુસ્તકનું સૂક્ષ્મતાથી અધ્યયન કરી સહુ કોઈ જિનવચનનું હાર્દ સમજે અને મિથ્યામાન્યતાઓને તિલાંજલી આપે એ જ અભ્યર્થના.
મલાડ (પૂર્વ) મુંબઈ
.
૪૦૦ ૦૯૭
Jain Education International
લિ.
શાહ કાન્તિલાલ છગનલાલ દોશી રમેશચન્દ્ર અમૃતલાલ
For Private & Personal Use Only
www.jainelibrary.org