SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ कालभेदादर्थभेदे शब्दस्यर्जुसूत्रसमत्वम् ८३ सद्दस्स ॥२२३५ ॥ 'त्ति । अत्र लिङ्गवचने साक्षादुक्ते । तदुपलक्षणात् कारकादेरेव ग्रहणं महोपाध्यायैरनेकान्तव्यवस्थाप्रकरणे कृतं, न तु कालस्य । तमपेक्ष्य तु समानत्वमेवोक्तम् । तथाहि अत्राभिन्नलिङ्गवचनमिति यदुक्तं तदभिन्नकारकाद्युपलक्षणं, कारकादिभेदेनाप्यनेनार्थभेदाभ्युपगमात्। तथाहि - यथा ऋजुसूत्रनयमत एव 'अग्निष्टोमयाजी पुत्रोऽस्य जनिता' इत्ययुक्तं, अतीतानागतयोः सम्बन्धाभावात्, तथा शब्दनयमतेऽन्यकारकयुक्तं यत्तदेवान्यकारकसम्बन्धं नानुभवतीति 'अधिकरणं चेद् ग्रामः ? अधिकरणाभिधानविभक्तिवाच्य एव, न कर्माभिधानविभक्त्यभिधेयः' इति 'ग्राममधिशेते' इति प्रयोगोऽनुपपन्नः, तथा 'पुरुषभेदेऽपि नैकं वस्तु' इति 'एहि मन्ये रथेन यास्यसि, न हि यास्यसि, यातस्ते पिता' इति च અનેક પર્યાયવાચી શબ્દોથી વાચ્ય એક વસ્તુ પણ શબ્દનય સ્વીકારે છે, કારણ કે એક જ ઇન્દ્રમાં ઇન્દન-શકન-પૂર્ઘારણ વગેરે અર્થો ઘટે છે.”૨૨૩૫।। અહીં લિંગ અને વચન સાક્ષાત્ કહ્યા છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અનેકાન્તવ્યવસ્થા પ્રકરણમાં એના ઉપલક્ષણથી કારકાદિનું જ ગ્રહણ કર્યું છે, પણ કાળનું નહીં. કાળની અપેક્ષાએ તો સમાનતા જ કહી છે. તે આ રીતે-અહીં ‘અભિન્નલિંગ-વચન' એમ જે કહ્યું છે તે અભિન્નકારકાદિના ઉપલક્ષણ તરીકે જાણવું, કારણ કે કારકાદિભેદે પણ આ શબ્દનય અર્થભેદ માને છે. તથાહિ-જેમ ઋજુસૂત્રનયને કાળભેદે અર્થભેદ સંમત છે જ, એમ શબ્દનયને કારકાદિભેદે પણ અર્થભેદ માન્ય છે. એટલે વૈયાકરણીઓએ ‘નિષ્ટોનયાની પુત્રોઽસ્ય નિતા' (=જેણે અગ્નિષ્ટોમ યજ્ઞ કરેલો છે તેવો પુત્ર આને થશે.) આવો જે પ્રયોગ કહેલો છે તેને ઋજુસૂત્ર પણ અયોગ્ય માને છે, ને શબ્દનય પણ અયોગ્ય માને છે, કારણ કે અતીત-અનાગતનો સંબંધ હોતો નથી. આશય એ છે કે ‘અગ્નિષ્ટોમયાજી’ આમાં યધાતુને ભૂતકાળઅર્થમાં ઇન્ પ્રત્યય લાગ્યો છે. જ્યારે ‘જનિતા'માં ભવિષ્યકાળસૂચક પ્રત્યય છે. પરંતુ વાસ્તવમાં અતીત-અનાગત કાળનો સંબંધ થઈ શકતો નથી. એટલે જો એ પુત્ર ભૂતકાલીન છે, તો ભવિષ્યકાલીન નથી, જો ભવિષ્યકાલીન છે, તો ભૂતકાલીન નથી. એક જ પુત્ર ભૂત-ભવિષ્ય ઉભયકાલીન બની શકતો નથી. જેમ, એકકાળયુક્ત પદાર્થ અન્ય કાળયુક્ત બની શકતો નથી, એમ શબ્દનયે તો એક કારકયુક્ત પદાર્થ અન્યકારકયુક્ત પણ બની શકતો નથી, એટલે ગામ જો અધિશયનનું અધિકરણ છે તો એ એનું કર્મ ન બની શકે. આશય એ છે કે વ્યાકરણકારોને ‘અધિ’ ઉપસર્ગ સાથે શી(શીક્)ધાતુનો પ્રયોગ હોય તો અધિકરણકારયુક્ત(=અધિકરણભૂત) ગ્રામરૂપ વસ્તુના વાચક ગ્રામશબ્દને ‘ગ્રામમધિશેતે' એ પ્રમાણે બીજી વિભક્તિ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy