SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ नयविंशिका-३ पर्यायात्मकत्वात्, चतुष्टयात्मकं, चतुर्दर्शनविषयत्वात्, पञ्चात्मकं, पञ्चास्तिकायावरुद्धत्वात्, सर्वं षडात्मकं षड्द्रव्यक्रोडीकृतत्वाद् । यथाऽत्रैकत्व-द्वित्व-त्रित्व-चतुष्ट्व-पञ्चत्व-षट्त्वानां विरोधस्यापाततो भासमानत्वेऽपि न वस्तुतो विरोधः, अन्यथा सर्वेषामविरोधेनानुभवसिद्धानां 'सर्वमेकं' 'सर्वं द्वयं' इत्याद्यध्यवसायानां विप्रतिपत्तित्वापत्तेः, तथैव नैगमाद्यध्यवसायग्राह्यानामापातत एव विरोधः, न तु वस्तुतः । अतो विरुद्धधर्मग्राहित्वहेतोरसिद्धतया न तेन વિપ્રતિપત્તિત્વસિદ્ધિઃ | ननु तथाप्यंशग्राहित्वहेतुना तत्सिद्धिः स्यात् । तथाहि - नैगमादयो विप्रतिपत्तिरूपाः, अंशग्राहित्वात्, 'गजः स्तम्भरूपः' इत्याद्यन्धपुरुषाध्यवसायवदिति चेत् ? न, अनैकान्तिक ચક્ષુદર્શન વગેરે ચાર દર્શનોનો વિષય એવું વિશ્વ ચતુષ્ટયાત્મક છે. પંચાસ્તિકાયથી સંકળાયેલું હોવાથી વિશ્વ પંચાત્મક છે. પદ્રવ્યમાં વહેંચાયેલું હોવાથી વિશ્વ ષડાત્મક છે. આમ એકત્વ-દ્વિવાદિનો વિરોધ પ્રથમ નજરે દેખાતો હોવા છતાં વસ્તુતઃ વિરોધ નથી. કારણ કે નહીંતર એના એ જ વિશ્વમાં એકત્વ-દ્વિત્વ વગેરે રહી ન શકે. વળી, નહીંતર તો બધાને બધું એક છે” “બધું બેરૂપ છે' વગેરે અવિરોધ જે અનુભવસિદ્ધ છે તે વિપ્રતિપત્તિરૂપ બની જાય. પણ એ જેમ વિપ્રતિપત્તિરૂપ નથી, એમ નૈગમ-સંગ્રહ વગેરે નયના વિષયભૂત સામાન્ય-વિશેષ વગેરેનો આપાતતઃ (=ઉપરછલ્લી નજરથી) જ વિરોધ છે, વસ્તુતઃ નથી. (એટલે જ ઘડામાં સામાન્યાત્મકત્વ અને વિશેષાત્મકત્વ, દ્રવ્યાત્મકત્વ અને પર્યાયાત્મકત્વ વગેરે ધર્મો સાથે રહી શકે છે.) એટલે તમે જણાવેલ છે વિરુદ્ધધર્મગ્રાહિત્ય હેતુ એ નયોમાં અસિદ્ધ હોવાથી એ હેતુ દ્વારા નયામાં વિપ્રતિપત્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. (અથવા એની એ જ અનામિકામાં રહેલા હોવાથી હ્રસ્વત્વદીર્ઘત્વમાં જેમ પરસ્પર વિરોધ નથી, એમ ન વિષયભૂત સામાન્ય-વિશેષ વગેરે અંગે જાણવું. શંકા - અનામિકામાં તો મધ્યમાની અપેક્ષાએ હ્રસ્વત્વ અને કનિષ્ઠાની અપેક્ષાએ દિર્ઘત્વ છે. એટલે અપેક્ષ્યભેદ હોવાથી વિરોધ નથી. સમાધાન - એવું જ નવિષયોમાં પણ છે. સમાન ધર્મોની અપેક્ષાએ સામાન્યત્વ છે અને અસમાન ધર્મોની અપેક્ષાએ વિશેષત્વ છે. દ્રવ્યની અપેક્ષાએ નિયત્વ છે, પર્યાયની અપેક્ષાએ અનિત્યત્વ છે. માટે એમાં વિરોધ નથી, ને તેથી નયોમાં વિરુદ્ધધર્મગ્રાહિત્ય હેતુ રહ્યો નથી.) શંકા - છતાં પણ “અંશગ્રાહિત્વ હેતુથી એની = વિપ્રતિપત્તિત્વની સિદ્ધિ થશે. તે આ રીતે - નૈગમ વગેરે નો વિપ્રતિપત્તિરૂપ છે, કારણ કે અંશગ્રાહી છે, જેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy