SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ३१ नैगमादीनां न विप्रतिपत्तित्वम् अयं न संशयः कोटेरैक्यान्न च समुच्चयः । न विभ्रमो यथार्थत्वादपूर्णत्वाच्च न प्रमा॥८॥ तद्वृत्तौ च - ...इति नयज्ञानस्य न पूर्णप्रमात्वमत उक्तचतुष्टयविलक्षणमेवेदं नयज्ञानमनुभवसिद्धमभ्युपगन्तव्यं, न चेदं स्वमनीषिकाविजृम्भितं, यत उक्तं तत्त्वार्थभाष्ये - तथाप्येते तन्त्रान्तरीयाः स्वतन्त्रा वा चोदकपक्षग्राहिणो मतिभेदेन विप्रधाविताः, उभयथापि मिथ्यात्वमिति चेत् ? न, प्रमाणापेक्षत्वेनैतेषामुभयवैलक्षण्यादिति ।। अथ नानाध्यवसायरूपा नैगमादयो नया विप्रतिपत्तिरूपाः, विरुद्धधर्मग्राहित्वात्, 'जीवो જ્ઞાનવીન” “નવો જ્ઞાનશૂન્ય:' રૂત્યાઘધ્યવસાયવિિત વેત્ ? , સિદ્ધઃ | ગર્ભાવ: जगत् सर्वमेकं, सदविशेषात्, द्वितयात्मकं, जीवाजीवात्मकत्वात्, त्रितयात्मकं, द्रव्य-गुण છે. ૮. એની વૃત્તિમાં કહ્યું છે કે – આમ નયજ્ઞાન પૂર્ણપ્રયારૂપ પણ ન હોવાથી અહીં કહેલા (સંશય, સમુચ્ચય, ભ્રમ, પ્રમા એ) ચારે વિકલ્પોથી વિલક્ષણ છે એ વાત અનુભવસિદ્ધ માનવી. વળી આ ખાલી અમારી પોતાની બુદ્ધિનો વિલાસ છે એવું પણ નથી, કારણ કે તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે – શંકા - છતાં પણ આ નવો અન્યદર્શનરૂપ છે કે સ્વદર્શનમાં જ પોતપોતાની બુદ્ધિથી ઊઠેલા પૂર્વપક્ષરૂપ છે ? બન્ને રીતે નયજ્ઞાન મિથ્થારૂપ જ બનવાનું છે. સમાધાન - આ શંકા બરાબર નથી, કારણ કે નયો પ્રમાણસાપેક્ષ હોવાથી તમે કહેલા બન્ને વિકલ્પો કરતાં વિલક્ષણ જ છે. શંકા - વસ્તુના સામાન્ય-વિશેષ વગેરે રૂપ જુદા જુદા અંશના ગ્રાહક જ્ઞાનરૂપ નગમાદિ નો વિપ્રતિપત્તિરૂપ છે, કારણ કે વિરુદ્ધધર્મગ્રાહી છે, જેમકે “જીવ જ્ઞાનવાનું છે' “જીવ જ્ઞાનશૂન્ય છે' એવા જ્ઞાનો. કોઈક નય કહે છે “ઘડો સામાન્યાત્મક છે.” અન્ય નય કહે છે “ઘડો વિશેષાત્મક છે.” આમ વિરુદ્ધપ્રતિપત્તિરૂપ વિપ્રતિપત્તિપણે નયોમાં સ્પષ્ટ છે જ. સમાધાન - “વિરુદ્ધધર્મગ્રાહિત્વ' રૂપ તમે જે હેતુ આપ્યો છે, એ અસિદ્ધ હોવાથી તમારી વાત બરાબર નથી. આશય એ છે કે ઘણીવાર પ્રથમ નજરે વિરુદ્ધ ભાસતા ધર્મો પણ વસ્તુતઃ વિરુદ્ધ હોતા નથી. જેમકે - “જે એક છે એ બે ન જ હોઈ શકે, માટે એકત્વ અને દ્વિત્વ પરસ્પર વિરુદ્ધ છેઆવું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. છતાં ઊંડા ઉતરીએ તો જણાય છે કે એકત્વ-દ્ધિત્વ વગેરે ધર્મો સાથે રહી શકતા હોવાથી વિરુદ્ધ નથી. તે આ રીતે - આખું વિશ્વ એક છે, કારણ કે “સત્’ સ્વરૂપ છે. વિશ્વ જીવ અને અજીવ એમ ઉભય સ્વરૂપ છે. વિશ્વ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રિતયાત્મક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy