SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ३३५ 'क्रियमाणं कृतम्'वाक्ये व्यवहारनयस्यापि संमतिः घटजननव्यापाररूपायाः क्रियाया दीर्घकालत्वासिद्धेः, चरमसमय एव तदभ्युपगमात् । घटगताभिलाषोत्कर्षवशादेव मृन्मर्दनाद्यान्तरालिककार्यकरणवेलायां 'घटं करोमीति व्यवहारात् । तदुक्तं महाभाष्यकृता-'पइसमयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासो सि। पइसमयकज्जकोडिं थूलमइ घडं मिलाएसि ॥' इति । ततश्च न घटकरणादयः क्रिया दीर्घकालिन्यः, किन्तु चरमसमयलक्षणैकसमयभाविन्य एवेति तद्विषयेऽपि क्रियमाणं कृतमिति निश्चयनयस्यैव सम्मतमिति वाच्यं, निश्चयनयसंमतस्य क्रियमाणस्य कृतत्वस्योपपादनार्थत्वादेतस्याधिकारस्य । ननु कुत एतन्निश्चयः ? इतः-एतदधिकारानुसारेण तु घटश्चरमसमय एव क्रियमाणः, तदैव च कृतः । तत्पूर्वं तु मृन्मर्दनाद्यान्तरालिककार्याण्येव क्रियमाणानि, तत्तत्समये कृतानि च । અસિદ્ધ હોવાથી તમારી શંકા બરાબર નથી... અર્થાત્ જ્યારે ઘટજનનક્રિયા હોય ત્યારે તો ક્રિયમાણ એવો ઘડો કૃત હોવાથી દેખાય જ છે. પણ આવી ક્રિયા અમે ચરમસમયે જ માનીએ છીએ. એ પૂર્વની ચક્રભ્રમણાદિ ક્રિયાકાળે અમે ઘટજનનક્રિયા માનતા જ નથી. તેથી ઘડો ત્યારે ક્રિયમાણ જ ન હોવાથી કૃત પણ નથી જ, પછી દેખાય શી રીતે? (શં% - જો આ પૂર્વકાળમાં ઘડો કરાઈ રહ્યો નથી, તો કુંભાર “ઘડો કરું છું' એમ શા માટે બોલે છે? સમાધાન –) ઘડો બનાવવાની તીવ્ર અભિલાષાના કારણે, માટી ખૂંદવી વગેરે ક્રિયાકાળે પણ “ઘડો કરું છું' એવો કુંભાર વ્યવહાર કરે છે. મહાભાષ્યકારે આ વાત કરી જ છે કે – સમયે સમયે થઈ રહેલ કાર્યોની પરંપરાની તને કોઈ અપેક્ષા નથી અને ઘડાનો તીવ્ર અભિલાય છે. માટે તે સ્કૂલમતિ ! તું પ્રતિસમય થનાર કાર્યશ્રેણિને ઘડામાં લગાવી દે છે.” એટલે ઘડો કરવો વગેરે ક્રિયા કોઈ દીર્ઘકાલીન હોતી નથી. પરંતુ ચરમસમયરૂપ એકસમયભાવિની જ હોય છે. માટે એની બાબતમાં બોલાતું ક્રિયમાણે કૃતં વાક્ય નિશ્ચયનયને જ માન્ય છે. સમાધાન - નિશ્ચયનયમાન્ય “ક્રિયમાણે કૃત'ની સંગતિ કરવા માટે આ અધિકાર હોવાથી તમારી શંકા બરાબર નથી. પ્રશ્ન - આવો નિશ્ચય શાના આધારે ? ઉત્તર - આ રહ્યો એનો આધાર - આ અધિકારના આધારે તો ઘડો ચરમસમયે જ કરાઈ રહ્યો છે, ને ત્યારે જ કૃત છે. એ પહેલાં તો માટી ખૂંદવી વગેરે અવાંતર કાર્યો જ કરાઈ રહ્યા છે, ને તે તે સમયે એ જ કાર્યો કૃત છે. પરંતુ માટી ખૂંદવી વગેરે કાળે ઘરાક વડે ‘ઘડો કર્યો કે નહીં ?” એવું પૂછવા પર કુંભાર વડે દેવાતો “ઘડો થઈ ગયો’ એવો જવાબ કયા નયને માન્ય છે ? નિશ્ચયનયને તો એ માન્ય નથી જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy