SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १५ २१८ सर्वान् सत्त्वेन सङ्गृह्णाति, न तथाऽऽदिनैगमोऽपि, एकजीवसन्ताने सम्भवानां देव-मनुष्यादीनां सर्वेषां विशेषाणां सङ्ग्रहेऽपि पुद्गलादिसन्तानेऽन्यजीवसन्ताने च सम्भवानां विशेषाणां तेनासङ्ग्रहणात् । एकसन्तानसम्भविनो यान् पिण्डादिविशेषान् स एककरोति तेऽपि भिन्नकालीना एव, न तु समानकालीनाः । समानकालीनानां सङ्ग्रह उच्यमानः शोभते । न हि प्रतिमासं रूप्यकसहस्रमुपार्जयित्वा व्ययं कुर्वाणस्य मासशतकान्ते लक्षाधिपतितया क्रियमाणो व्यवहारः शोभते । अत एवावलिकादीनां समयसमूहरूपत्वेऽपि कालोऽस्तिकायो नोच्यते । तथा यान् पिण्डादिविशेषान् स ऊर्ध्वतासामान्येन सङ्गृह्णाति तेऽपि मिथ: कथञ्चिदभिन्ना एव, मिथोऽभिन्नानां कः सङ्ग्रह : ? इति । ननु तथापि तेषां मिथः कथञ्चिद्भेदोऽपि वर्तत एवेति चेत् ? सत्यं, अत एव नैगमनयस्योत्तरभेदयोः सर्वसङ्ग्राही देशसङ्ग्राहीति संज्ञे गीयेते एव । इत्थञ्च व्यवहारनयस्य द्रव्यार्थिकत्वे सिद्धे त्रयाणामपि द्रव्यांशानामेकैकस्य ग्राहक एकैको नयः प्राप्तः । ततश्च त्रयो द्रव्यांशास्त्रयश्च द्रव्यार्थिका नया इति सिद्धम् । સર્વવસ્તુઓનો ‘સત્' તરીકે સંગ્રહ કરે છે એ રીતે આદિનૈગમ પણ સંગ્રહ કરતો નથી, કારણ કે એક જીવની પરંપરામાં સંભવતા દેવ-મનુષ્યાદિ સર્વ વિશેષોનો સંગ્રહ કરતો હોવા છતાં પુદ્ગલાદિની કે અન્ય જીવની પરંપરામાં સંભવતા વિશેષોનો એ સંગ્રહ કરતો નથી. એક સંતાનમાં સંભવતા પિંડ વગેરે જે વિશેષોને તે એક કરે છે તે પણ ભિન્નકાલીન વિશેષોને જ, નહીં કે સમકાલીન વિશેષોને. સંગ્રહ તો એનો કહેવો શોભે જે સમાનકાલીન હોય. જે મહિને મહિને હજાર રૂપિયા કમાઈને ખર્ચી નાખતો હોય એવા માનવીને સો મહિનાના અંતે લક્ષાધિપતિ કહેવો કાંઈ ઉચિત નથી. એટલે જ આવલિકા વગેરે સમયના સમૂહરૂપ હોવા છતાં કાળને અસ્તિકાય કહેવાતો નથી. તથા, જે પિંડાદિ વિશેષોનો નૈગમનય ઊર્ધ્વતાસામાન્યરૂપે સંગ્રહ કરે છે તે વિશેષો કથંચિદ્ અભિન્ન જ હોય છે. પરસ્પર અભિન્ન વસ્તુઓનો સંગ્રહ શું છે ? માટે નૈગમનય સંગ્રહનય કહેવાતો નથી. શંકા - છતાં એ પિંડાદિનો કથંચિદ્ ભેદ પણ હોય જ છે ને ! સમાધાન હા. એટલે જ ભૈગમનયના જે બે પેટા ભેદ છે એમના સર્વસંગ્રહ અને દેશસંગ્રહ એવા બે નામ કહેવાયેલા છે જ. આમ, વ્યવહારનય સંગ્રહનય તરીકે સિદ્ધ થતો નથી, પણ દ્રવ્યાર્થિકનય તરીકે તો સિદ્ધ થાય જ છે અને એ સિદ્ધ થયું એટલે એ પણ સિદ્ધ થયું કે દ્રવ્યના ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy