SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ १२० नयविंशिका-१४ एतद् द्रव्यत्वमापेक्षिकमुक्तमिति कश्चित्पृच्छति-नन्वेवं द्रव्यत्वमापेक्षिकमेव प्राप्तं, न तु स्वाभाविकमिति चेत् ? प्रत्यवस्थाने च श्रीमद्भिः 'शबलस्य वस्तुनोऽपेक्षयैव व्यवहारो भवति, न तत्र कश्चिद्दोषः' इत्येवं द्रव्यत्वस्यापेक्षिकत्वं स्वीकृतमेव । स्वीयाः पूर्वोत्तरकालभाविनीनूतनत्व-पुराणत्वादीर्विविधा अवस्था अपेक्ष्य द्रव्यत्वेनादिष्टा अपि ये घटादयः स्वोपादानकारणीभूतमृदादिद्रव्याणामवस्थाविशेषरूपतया पर्यायरूपा अपि ते 'आदिष्टद्रव्याणि' उच्यन्ते, येषु द्रव्येषु किञ्चिदपेक्ष्य पर्यायत्वमपि वर्तते तान्यादिष्टानि द्रव्याणीत्यर्थः । एतेषामादिष्टद्रव्याणां घटादीनां मनुष्यादीनां च द्रव्यत्वं यतो नूतनत्वादी लादीर्वाऽवस्था अपेक्ष्यैव, अत आपेक्षिकमेव भवति। परन्त्वनादिनिधनस्य पुद्गलद्रव्यस्य-जीवद्रव्यस्य च द्रव्यत्वं स्वाभाविकमेव भवति, न त्वापेक्षिकं, पर्यायत्वाभावात् केवलस्य द्रव्यत्वस्यैव सत्त्वात् । एतत्स्वाभाविकं द्रव्यत्वं पुरस्कृत्य श्रीमद्भिः प्रश्नकारेण द्रव्यत्वे आशङ्कितमापेक्षिकत्वं પર્યાયરૂપ છે એવા પણ મનુષ્યને બાળ આદિ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્ય તરીકે કહેલ છે. આમ આ બને તે તે અવાજોર અવસ્થાની અપેક્ષાએ જ ‘દ્રવ્ય રૂપ છે. એટલે કોઈક પ્રશ્ન પૂછે છે - આ રીતે તો દ્રવ્યત્વ આપેક્ષિક જ થયું, નહીં કે સ્વાભાવિક આ પ્રશ્નના જવાબમાં ગ્રન્થકાર શ્રીમદ્ યશોવિજયજી મહારાજે “શબલ વસ્તુનો અપેક્ષાએ જ વ્યવહાર થાય છે, એમાં કોઈ દોષ નથી..” આવું કહેવા દ્વારા દ્રવ્યત્વ આપેક્ષિક હોવું સ્વીકારી લીધું છે. પોતાની પૂર્વોત્તરકાળભાવી નૂતનત્વ-પુરાણત્યાદિ વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ દ્રવ્યત્વેન બાષ્ટિ જે ઘટાદિ = દ્રવ્ય તરીકે કહેવાયેલા જે ઘટાદિ, પોતાના ઉપાદાનકારણભૂત માટી વગેરે દ્રવ્યની ચોક્કસ અવસ્થારૂપ હોવાથી પર્યાયરૂપ પણ હોય છે તે આદિષ્ટદ્રવ્ય કહેવાય છે. જે દ્રવ્યો કશાકની અપેક્ષાએ પર્યાય પણ છે તે આદિષ્ટદ્રવ્ય' એવો અર્થ જાણવો. આ આદિષ્ટદ્રવ્યરૂપ ઘટાદિ કે મનુષ્યાદિ જે દ્રવ્યરૂપ છે તે નૂતનવાદિ કે બાળાદિ અવસ્થાની અપેક્ષાએ જ, એટલે એનું દ્રવ્યત્વ આપેક્ષિક જ હોય છે. પરંતુ અનાદિનિધન પુદ્ગલદ્રવ્ય કે જીવદ્રવ્યનું દ્રવ્યત્વ સ્વાભાવિક જ હોય છે, નહીં કે આપેક્ષિક, કારણ કે એ કશાની અપેક્ષાએ પર્યાયરૂપ ન હોવાથી માત્ર દ્રવ્યરૂપ જ હોય છે. એટલે પ્રશ્ન નિર્માણ થાય છે કે પ્રશ્નકારે દ્રવ્યમાં આપેક્ષિકત્વની જે શંકા કરી હતી એનું, આ સ્વાભાવિક (અનપેક્ષિક) દ્રવ્યને નજરમાં રાખીને નિરાકરણ કેમ ન કર્યું ? દ્રવ્યનું નિરૂપણ કરવાના અવસરે આ દ્રવ્યનો અંશમાત્ર પણ ઉલ્લેખ કેમ ન કર્યો ? આ પ્રશ્નનો ઉત્તર જ્યારે વિચારીએ ત્યારે, ગ્રન્થકારે આવું ન કર્યું એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy