SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ पर्यटति मण्डकमुद्गशाल्यादिप्राप्तौ च सर्पिर्दधिस्निग्धपत्रशाकादिशालनकाद्यर्थं पर्यटतीत्येका १, द्वे वा लभ्यमाने भिन्नभिन्नपात्रकेषु स्थापयेत् साधुर्यतोऽधुनैव मीलितानि भोजनवेलायां यावद्धृतानि विरूपरसानि भविष्यन्तीति भोजनं कुर्वन् मीलयिष्यामीति विचिन्त्य क्षीरादीनि लभ्यमानानि बहिरेव पृथक् पृथक् भाजनेषु गृह्णातीति द्वितीया २। म अभ्यंतरद्रव्यसंयोजनाया त्रिप्रकारता 5 अभ्यन्तरा पुनर्द्रव्यसंयोजना त्रिधा पात्रकविषया, कवलविषया, मुखविषया चेति त्रिविधामभ्यन्तरां वसतावायातः करोति । तत्र भोजनसमये यत्सुकुमारिकादि येन खण्डादिना सह रोचते तद्रसगृद्ध्या तेनैव सहैकस्मिन्नेव पात्रे संयोज्य स्थापयतीत्याद्या १। यदा तु तत्र तथाभूतं तेनैव હોય. એટલે કે વસતિની અન્દર જે કરવામાં આવે તે “અત્યંતર' તરીકે જાણવું.) આ જ વાતને સ્પષ્ટ રીતે કહે છે કે, (i) બાહ્યદ્રવ્યસંયોજના :- (A) રસના હેતુથી દ્રવ્ય માટે ફરવું. અને (B) તે દ્રવ્યોનું અલગઅલગ પાત્રોમાં ગ્રહણ કરવું.. એમ બે પ્રકારની બાહ્ય દ્રવ્યસંયોજના છે. બન્ને પ્રકારની પણ સંયોજનાને ભિક્ષામાં ફરતાં વસતિની બહાર કરે છે. તે આ પ્રમાણે કે, (A) કોઈ સાધુએ ભિક્ષામાં ફરતાં શાલ્યાદિ દૂર કે ક્ષીર પ્રાપ્ત કરી. તેની પ્રાપ્તિ પછી રસવૃદ્ધિથી દહીં, સાકર, ગોળની ગવેષણા માટે ફરે. અથવા મણ્ડક, મગ, શાલ્યાદિની પ્રાપ્તિમાં ઘી, દહીં, ‘નિધપત્રશા' = વઘારેલું લીલું શાક, ભાજી વગેરે શાલનકાદિ માટે ફરે. એ પ્રથમ પ્રકારની બાહ્ય દ્રવ્યસંયોજના થઈ. | (B) જો બન્નેની પ્રાપ્તિ થતી હોય. અર્થાત દૂર કે ક્ષીર અને દહીં, ગોળની પણ પ્રાપ્તિ થતી હોય. અથવા મડ઼કાદિ અને ઘી આદિની પણ પ્રાપ્તિ થતી હોય, ત્યારે અલગ અલગ પાત્રોમાં એ સાધુ સ્થાપે. “હમણાં જ સંયોજન કરાયેલા દ્રવ્યો જો ભોજનવેળા સુધી ધારી રાખવામાં આવશે તો એ વિરુપ = વિરસ થઈ જશે” એટલે ભોજન કરતી વેળાએજ સંયોજન કરીશ” એમ વિચારીને મેળવેલ ક્ષીરાદિને વસતિની બહાર જ અલગ અલગ ભાજનોમાં = પાત્રોમાં ગ્રહણ કરે. આ બીજા પ્રકારની બાહ્ય દ્રવ્ય સંયોજના થઈ. • અત્યંતરદ્રવ્યસંચોજનાના ત્રણ પ્રકારો છે હવે અત્યંતરદ્રવ્યસંયોજનાની વાત જણાવતાં કહે છે. અત્યંતરદ્રવ્યસંયોજના ત્રણ પ્રકારે છે (૧) પાત્રકસંબંધી (૨) કવલ = કોળીયાસંબંધી. (૩) મુખસંબંધી. આ ત્રણે પ્રકારની સંયોજના વસતિમાં આવ્યાબાદ કરે છે માટે “અભ્યતર' કહેવાય છે. (૧) ભોજન સમયે જે “સુમરારિ' સુકુમારિકાદિ = રોટલીવિશેષ જે ખંડ = ખાષ્ઠ આદિ સાથે રૂચે. તે સુકુમારિકાદિને તે જ ખણ્ડકાદિની સાથે એક જ પાત્રામાં રસની વૃદ્ધિથી સંયોજીને સ્થાપે. આ પ્રથમ પ્રકારની અત્યંતર સંયોજના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy