SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ २४९ रोगिण एतद्द्वयावबोधनेत्यर्थस्तां करोतीति योगः । यथा कश्चिद् रोगार्त्ता गृही भिक्षाद्यर्थं गृहे प्रविष्टं साधुं दृष्ट्वा भगवन् ! एतस्य मदीयव्याधेर्जानीषे कमपि प्रतिकारम् ? इति पृच्छति स प्राह भो श्रावक ! यादृक् तवेदं गंडादिकं वेदनाहेतुरस्ति तादृशं ममाप्यासीत्तच्चामुकेनौषधिना मम नष्टवेदनमभूदिति ततोऽस्य (स्यानभिज्ञस्य ) सतो भैषज्यकरणाभिप्रायोत्पादनाद् भैषज्यसूचनं कृतं । यद्वा रोगिणा चिकित्सां पृष्टो वक्ति किमहं वैद्यो येन रोगप्रतीकारं जाने ? इति । एवं च वदता रोगिणोऽनभिज्ञस्य सतो वैद्यं पृच्छामीती परिणतिविधानाद् वैद्यसूचनं कृतमिति । इयं च द्विरूपापि सूक्ष्मचिकित्सेत्येको भेदोऽथ बादरचिकित्सामाह । उपशमादिक्रियाकरण-कारणस्वरूपद्वितीयबादरचिकित्सा ‘उवसामणवमणमाइकिरियं वत्ति तत्र शर्करादिभक्षणेनोदीर्णपित्तादेरुपशम उपशमनं, पटोल्यादिकटुकौषधसंयोगनिष्पन्नक्वाथपानादिनोर्ध्वमुद्गिरणं वमनं आदिग्रहणात् क्वाथकरणस्वेदनविरेचनसिरोवेधक्षाराग्निकर्म्मादिक्रियाग्रहः । मोऽलाक्षणिकस्तत उपशमनं च वमनं च ते आदिर्यस्याः सा चासौ રોગને જાણીને દવાકરનાર. તે બન્નેનું ‘સૂચળ’ ‘સૂવનમ્’ = સૂચનકરવું. એટલે કે ઔષધ અને વૈદ્યને નહિજાણતાં એવા રોગીને તે બન્નેનું જ્ઞાન કરાવે. તે આ રીતે કે, ભિક્ષાદિમાટે કોક રોગીષ્ટના ઘરમાં પ્રવેશેલ સાધુને જોઈને એ ઘરવાળા પૂછે કે “ભગવાન્ આ મારી વ્યાધિનું કાંઈ પ્રતિકારક ઔષધાદિ જાણો છો ?” ત્યારે સાધુ જવાબ આપે કે “ઓ શ્રાવક ! તમને વેદના કરનારું જેવા પ્રકારનું આ ગુમડું વગેરે છે એવુંજ મને પણ થયું હતું. પણ અમુક ઔષધવડે મારી એ વેદના નાશ પામીગઈ.” આ રીતે દવાને ન જાણતાં રોગીને દવા કરવાનો અભિપ્રાય ઉત્પન્નકરવાથી એ ઔષધનું સૂચન કર્યું. અથવા તો રોગી ચિકિત્સા વિશે પુછે ત્યારે જવાબ આપે કે, “શું હું વૈદ્ય છું કે જેથી રોગનું પ્રતિકાર જાણું ?” આ પ્રમાણે કહેવાદ્વારા રોગીના મનમાં “હું વૈદ્યરાજને પૂછું.” એવી પરિણતિ ઉભી કરાવવાદ્વારા વૈદ્યનું સૂચન કર્યું. આ બન્ને પ્રકારો સૂક્ષ્મચિકિત્સાના છે. આ પ્રમાણે એક ભેદ પૂરો થયો. • ઉપશમઆદિ ક્રિયા સ્વયં કરવી અથવા કરાવવી સ્વરૂપ બાદર ચિકિત્સા ૭ હવે બાદરચિકિત્સાને જણાવે છે. ખાંડ વગેરેના ‘હવસામળ-વમળમાફ-વિરિયો વા' = ‘ઉપશમન-વમનાવિત્રિયાં વા', ‘ઉપશમનં' ભક્ષણથી ઉદીર્ણ – ઉદયમાં આવેલ પીત્તરોગ વગેરેનું ઉપશમન, ‘વમન’ એટલે પટોલી એક ઔષધ વિશેષ વગેરે કડવાઔષધના સંયોગથી બનેલ ક્વાથ ઉકાળા પીવડાવવા વગેરે દ્વારા ઉલ્ટી કરાવવી. અહીં ‘વિ' શબ્દથી કવાથને બનાવવો, એવા પ્રકારના તેલ વગેરેના માલિશથી પરસેવો કરાવવો પરસેવા દ્વારા શરીરમાં પ્રવેશેલ ગયેલ રોગને બહાર કાઢવો, વિરેચન કરાવવું – ઝાડા કરાવવા, સિરોવેધ કરવો નસમાં લોહી ગંઠાયું હોય તો નસ પર કાપો મૂકીને લોહી કાઢવું, રાખ લગાડવી અને અગ્નિકર્મ કરવું ગરમ પાણીનો શેક કરવો, ગરમ ઈંટનો શેક કરવો વગેરે ક્રિયાઓનું ગ્રહણ કરવું. - – = Jain Education International = For Private & Personal Use Only = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy