SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ २३९ साधो ! त्वया किं हवनादिक्रिया सम्यगसम्यग् वा विज्ञायते येनेत्थं निरीक्षते ततः साधुइँते, यथा समिन्मन्त्राहुति-स्थानयागकालघोषादीनाश्रित्य सम्यगसम्यग् वा क्रिया स्यात् । तत्र समिधः पिप्पलानामार्द्रप्रतिशाखादि-खण्डस्वरूपा यत्र यथावत् प्रयुज्यन्ते, एवं मन्त्रा ओमित्याद्यक्षरच्छन्दरूपा, आहुतिरग्नौ घृतादेः प्रक्षेपाख्या, स्थानमुत्कुटादिरूपं, यागोऽश्वमेधादिकः, कालः प्रभातादिः, घोषो ध्वनिरूपो, यत्र यथा-वत् प्रयुज्यते सा सम्यक् क्रियेति । यत्र च समिधादयो न्यूनतया अधिकतया विपर्ययेण वा प्रयु-ज्यन्ते, न यथावत् सा त्रिविधा असम्यक् क्रियेति । तदित्थमाहारादिलिप्सया व्याजेन तत्समानजातिक-स्यात्मनः प्रकाशनं विधीयते । तत्र च स ब्राह्मणस्तच्छ्रुत्वा गार्हस्थ्ये ब्राह्मणोऽयमित्यध्यवस्य भद्रकः सन् स्वजातिपक्षपाताद्यदाहारादि दापयति तदाजीवनादोषवत्स्यादथ प्रांतस्तदाऽस्माकमयमुपहासं करोती-त्यादि विचिन्त्य गृहनिस्सारणादि कुर्यात् । यदि ब्राह्मणः(णोऽ)सन् પ્રશ્ન :- સાધુ, દાતાના ગુણને સમાન પોતાનો ગુણ શી રીતે પ્રકાશે ? જવાબ :- જેમકે, કોક સાધુ ભિક્ષા માટે ફરતા બ્રાહ્મણના ઘરે ગયા. ત્યાં તે ઘરમાં બ્રાહ્મણના છોકરાને હોમાદિની ક્રિયા સારી કે ખોટી કરતો જોઈને તેના પિતાને કહે છે – “સાચી-ખોટી રીતે કરાતી હોમાદિની ક્રિયા પરથી ખબર પડી જાય કે “વેદાદિ શાસ્ત્રને નહિ જાણનાર એવા બ્રાહ્મણનો આ પુત્ર છે.” અથવા તો “વેદાદિ શાસ્ત્રના જાણકાર પાસે આ રહેલો છે.” એ પ્રમાણે તેના પિતાને કહે. અથવા, પોતાના પુત્રને ક્રિયા કરતો જોઈ રહેલા સાધુને જોઈને એના બ્રાહ્મણપિતા સાધુને પૂછે કે “હે સાધુ! શું તમો હવનાદિની સાચી અને ખોટી ક્રિયાને જાણો છો? કે જેથી આ રીતનું નિરીક્ષણ કરો છો?' સાધુ કહે “જુઓ, સમિધ = યજ્ઞમાં હોમવાના લાકડાં, મન્ન, આહુતિ, સ્થાન, યાગ = અશ્વમેઘ વગેર યજ્ઞો, કાળ = સમય, ઘોષ વગેરેને આશ્રયીને ક્રિયા સાચી કે ખોટી હોય છે. તેમાં, સમિધ એટલે પીપળાના વૃક્ષની લીલી પ્રશાખાના ટૂકડાઓ કે જે જ્યાં મૂકવાના હોય તે ત્યાં મૂકવો = જેનો જ્યાં ઉપયોગ ઉચિત હોય તેને ત્યાં મૂકવો. “મન્ન' એટલે “કોમ્' વગેરે અક્ષરોના છન્દ સ્વરૂપ મન્ટો જાણવા. “સાત્તિ’ એટલે અગ્નિમાં ઘી વગેરેના પ્રક્ષેપ રૂપ જાણવી. “થન' એટલે ઉત્કટઆસન વગેરે સ્વરૂપ જાણવું, “યા' એટલે અશ્વમેઘ વગેરે યજ્ઞ જાણવા. કાળ એટલે પ્રભાત વગેરે, “ઘોષ' એટલે અવાજસ્વરૂપ જાણવો. આ બધુંય જેમાં વિધિ પ્રમાણે યોજાય તે સમ્યગુ કહેવાય છે. અને જ્યાં સમિધ વગેરે (૧) ઓછા કે (૨) વધારે કે (૩) વિપરીત રીતે યોજવામાં આવે. ટૂંકમાં, વિધિસહિત ન યોજે તે ત્રણ પ્રકારે ખોટીક્રિયા કહેવાય છે.” આ પ્રમાણે સાધુ આહારાદિની લાલસાના બહાનાવડે દાતાને સમાન જાતિવાળા તરીકે પોતાને પ્રકાશિત કરે. તે બ્રાહ્મણને આવું સાંભળીને કલ્પના થાય કે “ગૃહસ્થપણે આ બ્રાહ્મણ હશે.” એમ વિચારીને હવે જો એ ભદ્રક હોય તો પોતાની જાતિના પક્ષપાતના લીધે જે આહારાદિ અપાવે તે આહાર આજીવના દોષ મુક્ત થાય છે. પણ જો એ પ્રાંત = હલકો હોય = નીચસ્વભાવનો હોય તો એ “આ અમારી મશ્કરી ઉડાવે છે” ઈત્યાદિ વિચારીને સાધુને ઘરની બહાર કાઢી મૂકે વગેરે કરે. વળી, એ સાધુ ખરેખર પૂર્વે બ્રાહ્મણ હોય નહિ પરંતુ ક્યાંકથી પણ બ્રાહ્મણ ક્રિયા વગેરેને જાણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy