SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ साधुर्वधादिकमाप्नोति जीवोपमर्दश्च जायते । परविषये जीवोपमई एवेति । वार्त्तमानिके च सद्य इहलोकेऽपि प्रत्यपाया जायमाना दृश्यन्ते । तत्राख्यानकं यथा म निमित्तकथने दृष्टांतः ॥ एगंमि सन्निवेसे आसि पुरा गामभोइओ एगो। सोहग्गाइगुणजुया भज्जा से सुंदरी होत्था ।।१।। देसंतरंमिय गओ रन्नाएसेण अन्नया सो उ। भज्जं मोत्तुं गामे गओ तत्थ य नेमित्तिओ निउणो ।।२।। एगो साहू पत्तो भिक्खट्ठा सो गओ तीए गेहे । तं दणं पुट्ठो निमित्तमिह जाणसे किं पि ।।३।। तेणुत्तं सुठुत्तरं जाणामि तीए जंपियं तत्तो। कहहि मम किंचि समणग जं ते रोयइ तयं पुच्छ ।।४।। तत्तो निमित्तकहणेण सुंदरी तेण हियहिअया। पकया विउलासणपाणाइ दिन्नं तो तीए हिट्ठाए।।५।। देसन्तराउ वलिओ अह अन्नया बहु अकालता(जाया)। जाव स चणुपत्तो, नियगाम अदूरदेसंमि ।।६।। तो तेण भोइएणं, निययग्गामस्स नियडपत्तेण | भज्जाणुरत्तएणं निययमणे चिंतियं च जहा ।।७।। છે ? તે કહે છે, “પવો = TITE = પાપનો ઉપદેશઆપનારો હોવાથી પાપી કહેવાય છે. આ રીતે લાભઆદિને જણાવનાર ત્રણેયકાળ સંબંધી નિમિત્ત કહેવાના વ્યાપાર થકી જે પિણ્ડ મેળવાય, તેને “નિમિત્તપિચ્છ' કહેવાય છે. આ નિમિત્તપિડ દુષ્ટ છે કારણ કે ભૂત-ભવિષ્ય-વર્તમાન એમ ત્રણેયપ્રકારના આ નિમિત્તા કહેવા જતાં માત્મા' = પોતાને અને ‘ર' = બીજાને, તથા ‘મા’ પોતાને અને બીજાને, વધાદિ થવા વગેરે અનર્થોનો સંભવ છે. તેમાં, ‘આત્મવિરાધના' = પોતે = સાધુ વધ વગેરેને પામે. “પવિરાથના' = સાધુ વધ વગેરે ન પામે પણ માત્ર બીજા જીવોની વિરાધના થાય. તથા “૩મવિરાધના' = પોતે-સાધુ વધ વગેરેને પામે અને બીજા જીવોની વિરાધના પણ થાય. ટૂંકમાં, સંયમ, આત્મ અને પ્રવચન એમ ત્રણેય વિરાધનાઓનો સંભવ છે એમ જાણવું. ભવિષ્યમાં પરલોકમાં નિમિત્તકથનના કટુરિપાકો ભોગવવાના આવશે એ વાત પછી પણ વર્તમાન = આ લોકમાં જ એના ઘણાં અપાયો તરત ઉત્પન્ન થતાં દેખાય છે. તે અંગે આ પ્રમાણેની કથા છે. • નિમિત્તકથન વિષચક દ્રષ્ટાંત છે પૂર્વે એક સન્નિવેશમાં = ગામડાનો એક પ્રકાર, તેમાં ગામભોજિક = ગામનો મુખી રહેતો હતો. તેને સૌભાગ્ય આદિ ગુણોથી યુક્ત સુંદરી નામે પત્ની હતી. એકવાર રાજાના કોક કાર્યના આદેશથી પત્નીને છોડીને તે દેશાન્તરે ગયો. તે ગામમાં જ્યાં સુંદરી રહે છે તે સન્નિવેશમાં નિમિત્તમાં નિપુણ એક સાધુ ભિક્ષા માટે તે સુંદરીના ઘરે ગયા. તે સાધુને જોઈને તેણે પૂછ્યું “શું તમો કોઈ નિમિત્ત જાણો છો ?” સાધુએ કહ્યું “સારી રીતે જાણું છું.” સુંદરીએ કહ્યું, “તો તમે મારા મનનું કાંઈક કહો”. સાધુએ કહ્યું “તમારી જે ઈચ્છા હોય તે પૂછો.” સુંદરીએ કાંઈક પૂછ્યું અને મુનિએ એનો જવાબ આપ્યો. આમ નિમિત્ત કહેવાદ્વારા તે સાધુએ સુંદરીનું મન આકર્ષિત કર્યું. રાજી થયેલી સુંદરીએ સાધુને વિપુલ પ્રમાણમાં ભાત-પાણી વગેરે આપ્યા. હવે આ બાજુ જે વખતે સાધુ સાથે સુંદરીની નિમિત્ત સંબંધી વાત ચાલુ હતી. તે જ વખતે એનો પતિ જે દેશાન્તરે ગયો હતો. ત્યાં તેનો ઘણો સમય નીકળી ગયો હતો. તે ગામભોજિક = પતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy