SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ क्रीणीयादेवं च गृहस्थव्यापारजनितः कर्म्मबन्धः साधोः स्यात् । तथोद्घाटितघटादौ कदाचित् कीटिकामूषिकादेर्जीवस्यान्यत आगत्य तन्मध्ये प्रविष्टस्य मरणे तद्वधजनितं पापं चेति । ॐ कपाटोद्भिन्ने दोषाः एवं कपाटोद्भिन्नमाश्रित्य कपाटेऽपि पूर्व्वदत्ते साध्वर्थमुद्घाट्यमाने गृहमध्यात् साधवे देयम् दत्त्वा भूयोऽपि तस्मिन् दीयमाने वा भूमिकाया अध उपरि भागे वा गिरोलिकाकीटिकामूषिकादिर्जन्तुः प्रविष्टस्तया चलन्त्या विराध्यते इति जीववधः स्यात् सा संयमविराधना । तथा साध्वर्थमुद्घाटिते तस्मिन् गृहमध्यवर्त्तिभ्यः पुत्रादिभ्यो दानादिना क्रयविक्रयादिना च यतेरधिकरणमिति । यदा तु यन्त्ररूपाणि कपाटानि पायूद्घाट्यमानानि भित्तिपिट्टणिकादीनां मध्ये प्रविशन्ति । तानि तु प्रयो दर्द्दरकोपरि पिट्टणिकाया एकदेशवर्त्तिनि मालप्रवेशरुपद्वारे स्युस्तेषु चाव्यापारेषूद्घाट्यमानेषु भित्त्याબીજું ખરીદીને એમાં નાખે, અથવા એ માલને પૈસાથી બીજાને આપે વેંચે, કાંતો તે તેલાદિના માલદ્વા૨ા બીજું પણ કાંઈક ખરીદે. આવા પ્રકારના ગૃહસ્થના વ્યાપારથી ઉત્પન્ન થયેલ કર્મબન્ધ સાધુને લાગે છે. કારણ કે એ બધું સાધુથી શરૂ થયું માટે. આ રીતે ઉઘાડેલા ઘડાવગેરેમાં ક્યારેક જીવજંતુ કે ઉંદરવગેરે બીજેથી આવીને એમાં પડી જાય અને મરે, તો એ મરણનું પાપ પણ સાધુને લાગે. આમ, ‘નષ્ઠાન્તિત્તે કમ્મિવિય' સંબંધી વિરાધનાની વાત કરી. કપાટ-ઉદ્ભિન્નમાં દોષો છ Jain Education International હવે ‘વાડ પાöિ' સંબંધી વિરાધનાની વાત કરે છે. પૂર્વે બંધકરેલ કપાટાદિને ખોલીને એની અંદરથી સાધુને દેય = આપવા યોગ્ય વસ્તુ આપીને ફરીવાર બંધ કરવા જાય એટલીવારમાં બારણાની ઉપર કે નીચે કે આજુબાજુમાં ગિરોળી, કીડી, ઉંદરઆદિ, આદિ શબ્દથી વાંદાઆદિ ત્રસજીવ બારણાના સંધિસ્થાનોમાં પ્રવેશી જાય = મિજાગરા વગેરેમાં ગોઠવાઈ જાય વગેરે લેવું. એમાં બારણું બંધ થતાં તે જીવો મરી જાય. આ સંયમવિરાધના થઈ. અથવા તો સાધુમાટે એ કપાટવગેરે ઉઘાડે ત્યારે ઘરના પુત્રાદિ સભ્યોને આપવા યોગ્ય વસ્તુ આપે. કાંતો વેચવુંનવું લેવું વગેરે થાય તો સાધુમાટે એ એક અધિકરણ રૂપ બની જાય છે. ‘ધિરળ’ એટલે ‘પાપસ્થાન'. સાધુમાટે ઉઘાડે ત્યારે ઘરના સભ્યોને આપે એમાં પ્રાકૃતિકાદોષ લાગી શકે. અથવા કપાટાદિમાં રહેલ લાડુવગેરે ને બમણા-ત્રણ ગણા ભાવે દીકરો વેચે, અને બાપને એવી કમાણી ગમી ગઈ, એટલે નિત્ય લાડુ બનાવી વેચવાનું ચાલુ કરી દે. આ બધા પાપસ્થાન થયા કહેવાય. આ તો કપાટાદિ (હાથથી ઉઘાડવાના સાધનો)ની વાત થઈ. પરન્તુ જ્યારે પગથી ઉઘાડાતા યન્ત્ર સ્વરૂપ કપાટો હોય, તે કપાટ તો ભીંતની પિટ્ટણિકામાં પોલાણવાળા ભાગમાં પ્રવેશી જતું હોય છે. જેમ આજના જમાનામાં દુકાનાદિમાં શટર Shutter હોય છે, તેમ પૂર્વે પણ યાંત્રિક શટર હતા. જેમાં એક Button-Switch = યંત્રને કામે લગાડવા દબાવાની એક વસ્તુ હોય, એને પગથી દબાવે એટલે આખું બારણું ઉઘડીને પિટ્ટણિકામાં જતું રહે. જેમ Shutter આખું ઉપરના ભાગમાં ગોળાકારે - = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy