SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | ટીકાર્થઃ જે ભંગને વિષે સ્ટોકમાં અને તુ' શબ્દ છે તેથી બહુમાં (સ્તોકને) સંર્યું હોય, તે પણ શુષ્કને વિષે શુષ્ક (સંહર્યું હોવાથી) કહ્યું છે. અથવા શુષ્કને વિષે આદ્ર ‘વા' શબ્દ છે તેથી આદ્રને વિષે શુષ્ક અથવા આદ્રને વિષે આદ્ર (સંહર્યું હોય તો તે ગ્રાહ્ય છે. બીજું ગ્રાહ્ય નથી. કેમ ? તે કહે છે “ગ રૂલ્યક્તિ જો તે અદેય વસ્તુ “તમાર' ઘણા ભાર રહિત હોય તેને બીજે ઠેકાણે નાંખીને બીજી વસ્તુ આપે તો તે કહ્યું છે, અન્યથા કહ્યું નહિ. વળી બહુને સંહરે તો બહુ ભારવાળી તે વસ્તુ થાય છે. તેથી શુષ્કને વિષે શુષ્ક (સંહૃત) ઇત્યાદિ ચારેય ભંગને વિષે દરેકમાં સ્તોકને વિષે સ્તોક અને બાહુકને વિષે સ્ટોક એ પહેલાં અને ત્રીજા ભંગ કહ્યું છે. પણ બીજો અને ચોથો ભાંગો કલ્પતો નથી. પદા તેમાં દોષ કહે છે : मू.०- उक्खेवे निक्खिवे, महल्लभाणम्मि लुद्ध वह डाहो ॥ अचियत्तं वोच्छेओ, छक्कायवहो य गुरुमत्ते ॥५७०॥ મૂલાર્થઃ મોટા ભાજનને ઉપાડે તે અને મૂકે સતે (દાત્રીને પીડા થાય) તથા આ સાધુ લુબ્ધ છે, તે પાત્રનો નાશ થવાથી દાહ (દાઝવાનું) થાય, અપ્રીતિ અને વિચ્છેદ થાય, તથા મોટું પાત્ર ભાંગે સતે પકાયનો વધ થાય પ૭Oી. ટીકાર્થ: “મતિ પાનને' ઘણી અદેય વસ્તુના ભારવાળા. મોટા ભાજનને ‘ક્ષેપ' ઉપાડતાં અને ‘નિક્ષેપે’ અન્ય ઠેકાણે મૂકતાં દાત્રીને પીડા થાય, તથા આ સાધુ લુબ્ધ છે, પરની પીડાને ગણતો નથી, એમ નિંદા થાય. તથા તે ભાજન કદાચ ઉષ્ણ ભકતાદિક વડે ભરેલું હોય તો તેને ઉપાડતાં કોઈ પણ પ્રકારે તેનો ‘વ’ વિનાશ થતાં દાત્રી કે સાધુને દાહ-દાઝવાનું થાય, તથા આ મુંડિયાને ભિક્ષા આપવા માટે ઉપાડેલ આ ભાજન ભાંગી ગયું. એમ ખેદ થવાથી કદાચ અપ્રીતિ પણ થાય, તેથી કરીને તેના દ્રવ્યનો અને અન્યના દ્રવ્યનો વિચ્છેદ થાય, તથા મોટું ભાજન ભાંગી જવાથી તેની અંદર રહેલા ભક્તાદિક ચોતરફ પ્રસરે સતે પૃથ્વી આદિમાં રહેલા પૃથ્વીકાયાદિ જંતુનો વિનાશ થાય. જેથી કરીને આવી રીતના આ દોષો લાગે છે. તેથી કરીને સ્તોકને વિષે બહુ અને બહુને વિષે બહુ એ બે ભંગ સર્વત્ર (કદાપિ) કલ્યું નહિ. I૫૭ના એ જ વાતને કહે છે : ____ मू.०- थोवे थोवं छूळे, सुक्के उल्लं तु तं तु आई ।। बहुयं तु अणाइन्नं, कडदोसो सो त्ति काऊणं ॥५७१॥ મૂલા સ્તોકને વિષે સ્ટોક નાંખ્યું હોય, તે પણ શુષ્કને વિષે આદ્ર હોય તો તે આશીર્ણ છે, પણ બહુક હોય તો તે મૃતદોષ છે એમ કરીને અનાચીર્ણ છે. પ૭૧ી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy