SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨). I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , પ્રાદુષ્કરણ દ્વાર કહ્યું હવે ક્રેતદ્વારને કહે છે : मू.०- कीयगडं पि य दुविहं दव्वे भावे य दुविहमेक्कक्कं ॥ आयकीयं च परकीयं परदव्वं तिविह चित्ताई ॥३०६॥ મૂલાર્થ ઃ ક્રતકત પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તે દરેકના બળે ભેદ છે. આત્મક્રીત અને પરકીત તેમાં પરદ્રવ્ય સચિત્તાદિક ત્રણ પ્રકારે છે. ૩૦૬ ટીકાર્થ: ખરીદ કરવું તે ક્રીત કહેવાય છે. તે ક્રીત વડે ‘કૃતં જે નીપજાવ્યું હોય તે ક્રીકૃત અર્થાત્ ખરીદ કરેલું. તે પણ અર્થાત્ પ્રાદુષ્કરણ તો બે પ્રકારે હતું તે તો દૂર રહો, પરંતુ આ ક્રત પણ, એમ ‘પિ' શબ્દનો અર્થ જાણવો ‘વિધ બે પ્રકારનું છે. તે આ પ્રમાણે ‘બે ભાવે વ' અહીં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે, તેથી આ અર્થ જાણવો. દ્રવ્ય વડે ક્રીત અને ભાવ વડે ક્રિીત એવો અર્થ છે. વળી ફરીથી પણ ‘પ દ્રવ્યક્રત અને ભાવક્રીત તે દરેક બે પ્રકારે છે. તે આ પ્રમાણે આત્મક્રીત અને પરક્રીતઃ એટલે કે આત્મદ્રવ્યક્રીત (પોતાના દ્રવ્ય વડે ખરીદ કરાયેલી અને આત્મભાવક્રાંત પોતાના ભાવ વડે ખરીદ કરાયેલ) તથા પરદ્રવ્યક્રત અને પરભાવક્રત એમ અર્થ જાણવો. તેમાં માત્મના પોતે જ ઉજ્જયંત ઉપર રહેલા ભગવાનની પ્રતિમાની શેષા (પ્રભુ આગળ મૂકેલ નૈવેદ્યાદિ) વગેરે રૂપ દ્રવ્ય વડે એટલે કે – તે દ્રવ્યના પુષ્કળ દાનથી બીજાને (ગૃહસ્થને) વશ કરીને તેની પાસેથી જે ભક્તાદિક ગ્રહણ કરાય તે આત્મદ્રવ્યક્રીત કહેવાય છે. (૧) તથા વળી ‘નાત્મના' એટલે સ્વયમેવ (પોતે જ) ભક્તાદિકને માટે ધર્મકથાદિક વડે બીજાને (ગૃહસ્થને) વશ કરીને તેની પાસેથી જે ભક્તાદિક પ્રહણ કરાય તે આત્મભાવક્રત કહેવાય છે (૨) તથા બીજાએ (ગૃહસ્થ) સાધુને નિમિત્તે દ્રવ્ય વડે જે ગ્રહણ કર્યું હોય તે પરદ્રવ્યકત કહેવાય છે. (૩) તથા વળી બીજાએ સાધુને નિમિત્તે પોતાનું વિજ્ઞાન દેખાડીને બીજાને વશ કરીને તેની પાસેથી જે ગ્રહણ કરેલ હોય તે પરભાવક્રીત કહેવાય છે (૪). તેમાં સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી પ્રથમ પરદ્રવ્યકિતનું સ્વરૂપ કહે છે. “ પડ્ય' ગૃહસ્થ સંબંધી દ્રવ્ય ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે વિજ્ઞાત્રિ' સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તે દ્રવ્ય વડે બીજાએ સાધુને માટે જે ખરીદ કર્યું હોય તે પરદ્રવ્યકત જાણવું. (૧) ||૩૦૬ પદ્રવ્યક્રત કહ્યું હવે બાકીના ત્રણ ભેદને સામાન્યથી કહે છે : मू. आयकियं पुण दुविहं, दव्वे भावे य दव्व चुन्नाई ॥ भावम्मि परस्सट्ठा अहवा वी अप्पणा चेव ॥३०७॥ મૂલાર્થ વળી આત્મક્રીત દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય એટલે ચૂર્ણાદિક ભાવને વિષે બીજાને માટે અથવા પોતાને જ માટે ૩૦થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy