________________
અને તેથી ક્રિયાશ્રય ઓદનાદિને દ્વિતીયા થશે, અને ઓદનોત્તર દ્વિતીયાના અર્થ વૃત્તિત્વનો અન્વય ક્રિયામાં થશે. અધઃસંયોગ, ધાત્વર્થતાવચ્છેદકતાવચ્છેદક થશે. અને તે આશ્રયાવચ્છિન્ન હોવાથી સંયોગાશ્રય - ગળાના અધોદેશને દ્વિતીયા નહીં થાય કારણ કે પૂર્વે જણાવ્યું છે કે આશ્રયાનવચ્છિન્ન ફળના આશ્રયને જ દ્વિતીયા થઈ શકે.
एवमन्यसकर्मकधातूनामप्यर्थाः स्वयमूह्याः । આ રીતે અન્ય સકર્મક ધાતુઓના અર્થો, સ્વયં વિચારી લેવા.
'गां दोग्धि पयः' इत्यादौ द्विकर्मकधातुसमभिव्याहृतगवादिपदोत्तरद्वितीया क्रियाजन्यफलशालित्वादन्यदेव कर्मत्वं बोधयति । कारकाधिकारीयेण "अकथितं च" इतिसूत्रेणापादानत्वादिभित्रधातुप्रतिपाद्यान्वयिधर्मान्तरावच्छिन्नस्यापि कर्मसंज्ञाऽभिधानात् । જાં તોધિ પયઃ સ્થળે, દિકર્મક ધાતુના સમભિવ્યાપારમાં ગો વિ. પદની ઉત્તરમાં રહેલ દ્વિતીયા ક્રિયાજન્યફળશાલિત્વ રૂપ કર્મત્વ નથી જણાવતી, પણ બીજું જ કર્મત્વ જણાવે છે. કારકના અધિકારમાં ‘
૩થi a' સૂત્ર દ્વારા અપાદાનથી ભિન્ન અને ધાતુ પ્રતિપાદ્યમાં અન્વયી એવા ક્રિયાજન્ય ફલશાલિત્વથી જુદા ધર્મથી અવચ્છિન્નને પણ કર્મ સંજ્ઞા કહી
છે જ. વિવેચનઃ લુન્ ધાતુ દિકર્મક છે. જો ધિ પયઃ માં, ગો અને પયસ બંનેને દ્વિતીયા
થઈ છે. ૯૬ ધાત્વર્થ, શરણાનુકૂળવ્યાપાર છે. અને ક્રિયાજન્ય ફળ ક્ષરણ (પડવું) માત્ર દૂધમાં છે એટલે પયસ પદોત્તર દ્વિતીયા તો ક્રિયાજન્યફળશાલિત્વ રૂપ કર્મત્વ બતાવે છે. પણ ગાયમાં ક્ષરણ ન હોવાથી ક્રિયાજન્યફળશાલિત્વ રૂપ કર્મત્વ તેમાં સંભવતું નથી. પાણિની વ્યાકરણમાં, ‘મfથતં વ' સૂત્ર દ્વારા જેનો ધાતુથી જણાવાતાં અર્થમાં અન્વય થતો હોય, તેવો અપાદાનથી ભિન્ન એવો ધર્મ જેમાં રહ્યો હોય તેને પણ કર્મ કહ્યું છે. (ગૌણકર્મને દ્વિતીયાનું વિધાન આ
વ્યુત્પત્તિવાદ * ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org