SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 9. 'ब्राह्मणाय धनं ददाति' इत्यादौ स्वस्वत्वध्वंसविशिष्टपरस्वत्वानुकूला इच्छा धात्वर्थः, तादृशस्वत्वरूपधात्वर्थतावच्छेदकफले एव द्वितीयार्थान्वयः । વ્રામાય ધનં તિ' વિ. વાક્યોમાં ઢા- ધાતુનો અર્થ સ્વસ્વત્વશ્ર્વસ વિશિષ્ટ પરસ્વતાનુકૂળ ઇચ્છા છે. અહીં ધાત્વર્થતાવચ્છેદક ફળ, પરસ્વત્વ છે. દ્વિતીયાર્થ આધેયતાનો અન્વય તેમાં થશે. વિવેચનઃ જેનું દાન કરે છે, તેના પરથી પોતાની માલિકી (સ્વસ્વત્વ) નાશ પામે. અને બીજાની માલિકી (પરસ્વત્વ) સ્થપાય એવી ઇચ્છા હોય છે. એટલે રા ધાતુનો અર્થ સ્વત્વāસવિશિષ્ટ પરસ્વતાનુકૂળ ઇચ્છા છે. બ્રાહ્મણીય ધનં વાતિ વાક્યમાં ધન ની ઉત્તરમાં રહેલ દ્વિતીયાનો અર્થ આધયતા છે. તેનો અન્વય ધાત્વર્થતાવચ્છેદક ફળ- પરસ્વત્વમાં થશે.. એટલે કે ધનમાં પરસ્વત્વ આવશે. ७७. उपेक्षायामतिप्रसङ्गवारणाय परस्वत्वनिवेशः ।। ઉપેક્ષામાં અતિવ્યાપ્તિના વારણ માટે પરસ્વત્વ પદ છે. વિવેચનઃ દાન ન કરવું હોય, છતાં પોતાની વસ્તુ પ્રત્યે માલિકીભાવ ન રાખે (ત્યજી દે ફેંકી દે – ઉપેક્ષા કરે) ત્યારે પણ સ્વસ્વત્વશ્ર્વસ તો હોય જ છે. એટલે માત્ર સ્વસ્વત્વધ્વંસાનુકૂળ ઇચ્છા જો દ્રા ધાત્વર્થ કહે તો તેવા ઉપેક્ષાના પ્રસંગમાં પણ રા ધાતુનો પ્રયોગ થઈ શકે. તેવું ન થાય તે માટે ધાત્વર્થમાં પરસ્વત્વનો પ્રવેશ કર્યો છે. ઉપેક્ષા હોય ત્યારે બીજાની માલિકી સ્થાપવાની ઇચ્છા ન હોવાથી, પરસ્વત્વાનુકૂળ ઇચ્છા ન હોવાથી, રા ધાતુના પ્રયોગની આપત્તિ નહીં આવે. તેમ પોતાની વસ્તુ, પોતાની અને બીજાની સાધારણ - ભેગી માલિકીની થાય એવી ઇચ્છા હોય ત્યાં પરસ્વતાનુકૂળ ઇચ્છા છે. છતાં તે દાન કહેવાતું નથી. એટલે ત્યાં તો ધાતુના પ્રયોગની આપત્તિના વારણ માટે સ્વસ્વત્વધ્વંસનો પણ ટ્રા ધાત્વર્થમાં સમાવેશ જરૂરી છે. ભેગી માલિકીની ઈચ્છા હોય ત્યાં સ્વસ્વત્વધ્વંસાનુકૂળ ઈચ્છા ન હોવાથી તા ધાતુનો પ્રયોગ નહીં થાય. વ્યુત્પત્તિવાદ % ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy