________________
વિવેચન : શંકાઃ
સમાધાન : ત્યાં વિધેય વહ્રિવૃત્તિત્વ નથી પણ સંસ્કૃતવહ્રિવૃત્તિત્વ છે. એટલે ઉદ્દેશ્યતાવચ્છેદક વહ્રિવૃત્તિત્વ કરતાં વિધેય માં અધિક અવગાહન હોવાથી ત્યાં શાબ્દબોધ થઈ શકશે, જે હવે નીતષ: સ્થળે પ્રથમા કા૨કમાં બતાવ્યું છે.
૬.
‘અનૌ ધૃત નુહોતિ’ પ્રયોગને તો અપ્રામાણિક માની લીધો. પણ ‘સંસ્કૃતે વૌ ખુદુયાત્' વિ. વેદવાક્યોને તો અપ્રમાણ માની શકાય નહીં. ત્યાં ઉદ્દેશ્યતાવચ્છેદક – વિધેયનું ઐક્ય હોવાથી અનન્વયની આપત્તિ આવશે, તેનું શું ?
વિવેચન :
શંકા :
घृतादेश्चाश्रयानवच्छिन्नधात्वर्थतावच्छेदकतावत्क्रियारूपफलाश्रयत्वात्
कर्मत्वोपपत्तिः ।
ઘી, આશ્રયાનવચ્છિન્નધાત્વર્થતાવચ્છેદકતાવત્ ક્રિયા રૂપ ફલનો આશ્રય હોવાથી તેમાં કર્મત્વ ઉપપન્ન છે.
જો દુ ધાત્વર્થ આશ્રયાવચ્છિન્નફલાવચ્છિન્નવ્યાપાર હોય તો તે અકર્મક થઈ જશે અને તો પછી ધૃતં જુઠ્ઠોત્તિ એવો પ્રયોગ પણ નહીં થાય- ઘી માં પણ આશ્રયાનવચ્છિન્તાવચ્છેદકતાશ્રયફલવત્ત્વ રૂપ કર્મત્વ નહીં આવે.
સમાધાન : હૈં ધાતુનો અર્થ અગ્નિસંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂલવ્યાપાર છે. વ્યાપાર હવનકર્તામાં છે. તેનું ફળ ઘીમાં ક્ષરણરૂપ ક્રિયા છે અને પછી અગ્નિસંયોગ છે.
સંયોગરૂપ ફળ, આશ્રયાવચ્છિન્ન હોવા છતાં, ક્રિયા રૂપ ફળ તો આશ્રયાનવચ્છિન્ન જ છે. એટલે ક્રિયામાં રહેલ વ્યાપારાવચ્છેદકતા, આશ્રયાનવચ્છિન્ન થવાથી; ઘીમાં આશ્રયાનવચ્છિન્તાવચ્છેદકતાવત્ ફળવત્ત્વ રૂપ કર્મત્વ આવી જશે.
એટલે ધૃતં ખુન્નોતિ એવો પ્રયોગ ઉપપન્ન થશે અને હૈં ધાતુ સકર્મક જ બનશે.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org