________________
:
ટિપ્પણ અહીં એ ધ્યાન રાખવું કે ધાત્વર્થતાવચ્છેદક જેમ સંયોગ રૂપ ફળ છે, તેમ ક્ષરણ રૂપ ક્રિયા પણ છે. કારણ કે ધાત્વર્થ સંયોગાવચ્છિન્ન ક્રિયાનુકૂળ વ્યાપાર છે. એ ક્રિયા, આશ્રયાનવચ્છિન્ન પણ છે. એટલે ક્રિયાશ્રય ઘી માં કર્મત્વ આવે છે અને હૈં ધાતુ સકર્મક બને છે.
એટલે અગ્નિમાં ક્રિયાજન્યફલવત્ત્વરૂપ કર્મત્વ આવે. પણ ઉપર કહ્યા મુજબ, આશ્રયાનવચ્છિન્ન ફળાવચ્છિન્ન વ્યાપારબોધક ધાતુ જ સકર્મક છે. એટલે જે ફળમાં રહેલી વ્યાપારાવચ્છેદકતા, આશ્રયાનવચ્છિન્ન હોય, તત્ત્વ જ કર્મત્વ બને. અહીં અગ્નિમાં જે ફલનું આશ્રયત્વ આવે છે. તે ફળ સંયોગમાં રહેલી વ્યાપારાવચ્છેદકતા અગ્નિ રૂપ આશ્રયથી અવચ્છિન્ન હોવાથી અગ્નિમાં આશ્રયાનવચ્છિન્ન ફળાશ્રયત્વ રૂપ કર્મત્વ આવતું નથી.
૧૭.
न चाग्निविशेषितसंयोगस्य धात्वर्थतावच्छेदकत्वे 'अग्नौ घृतं जुहोति' इत्यत्रानन्वयप्रसङ्गः उद्देश्यतावच्छेदकविधेययोरैक्यादिति वाच्यम्,
પૂર્વપક્ષ : જો હૈં ધાત્વર્થતાવચ્છેદક અગ્નિવિશિષ્ટસંયોગ જ હોય તો ‘મની ધૃત ખુદ્દોતિ’ સ્થળે અનન્વયની આપત્તિ આવશે કારણ કે ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય એક જ થઈ જશે.
વિવેચન : ‘ગનો ધૃત ખુદ્દોતિ' સ્થળે, હૈં ધાત્વર્થ અગ્નિસંયોગજનકક્રિયાનુકૂળ વ્યાપાર છે. અનૌ પદમાં રહેલ સપ્તમીનો અર્થ વૃત્તિત્વ કરીને તેનો અન્વય, ધાત્વર્થતાવચ્છેદક સંયોગમાં કરવાનો છે. એટલે અહીં ઉદ્દેશ્ય થયો અગ્નિસંયોગ અને વિધેય થયું અગ્નિવૃત્તિત્વ... ઉદ્દેશ્યતાવચ્છેદક પણ અગ્નિવૃત્તિત્વ જ છે. (અગ્નિસંયોગ અગ્નિનિષ્ઠ સંયોગ.) પ્રથમા કારકમાં, ઘટો ઘટ: સ્થળના શાબ્દબોધની ચર્ચામાં જણાવ્યું છે તેમ, ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય જો એક જ હોય, તો શાબ્દબોધ થાય નહીં. એટલે અનૌ ધૃતં ખુહોતિ સ્થળે પણ, શાબ્દબોધ ન થવાની આપત્તિ આવશે.
:
ટિપ્પણ અહીં એ ખ્યાલમાં રાખવું કે ઉદ્દેશ્ય અને વિધેય, અન્વયની અપેક્ષાએ સમજવાના છે. જેમ કે રાના વૃદ્ધિમાન સ્થળે, બુદ્ધિમત્તા નો અન્વય રાજા સાથે કરવાનો હોવાથી, ઉદ્દેશ્ય રાજા છે, અને વિધેય બુદ્ધિમત્તા
છે.
Jain Education International
-
વ્યુત્પત્તિવાદ * ૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org