________________
फलस्य द्विधा भानं चेदनुभवविरुद्धं तदा पुनरनायत्या फलव्यापारयोः खण्डश: शक्तिद्वयमेव धातोः स्वीकरणीयम्, आख्यातस्याश्रयत्वमेव
तत्रार्थः । अधिकमग्रे वक्ष्यते । શંકા પણ ફળનું બે વાર જ્ઞાન થતું હોય, તેવો અનુભવ તો થતો નથી. સમાધાન: તો પછી બીજો ઉપાય ન હોવાથી, ધાતુની ફળ અને વ્યાપારમાં ખંડશઃ
શક્તિ માનવી અને આખ્યાતનો અર્થ આશ્રયતા કરવો. વધુ સ્પષ્ટતા
આગળ થશે. વિવેચનઃ જો ધાતુની ફળવિશિષ્ટ વ્યાપારમાં જ શક્તિ માનો અને ફળ-વ્યાપારમાં
પૃથફ શક્તિ ન માનો તો કર્મણિ આખ્યાતનો અર્થ ફળ માનવો પડે અને તો, ધાતુથી અને આખ્યાતથી એમ બે વાર ફળનું જ્ઞાન થાય, અને તેવો અનુભવ ન હોવાથી તે માની શકાય નહીં. એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે તો પછી બીજો રસ્તો જ ન હોવાથી પૂર્વે (૪૩માં) કહ્યા મુજબ, ધાતુની ફળ-વ્યાપારમાં જુદી જુદી શક્તિ માનીને, આખ્યાતનો અર્થ આશ્રયતા કરવો. એટલે “પ્રામો ' માં થી ગમન વ્યાપાર અને સંયોગની ઉપસ્થિતિ થશે, આખ્યાતથી આશ્રયતાની અને ગ્રામથી ગ્રામની. વ્યાપારનો જન્યતા સંબંધથી સંયોગમાં, સંયોગનો નિરપિતત્વ સંબંધથી આશ્રયતામાં, આશ્રયતાનો સ્વરૂપ સંબંધથી ગ્રામમાં અન્વય થશે. આમ કરવાથી આવતી આપત્તિનું વારણ વિ. આગળ કહેશે.
अथ द्वितीयाया आधेयत्वार्थकत्वे व्यापारे तदन्वयतात्पर्येण सप्तम्या इव द्वितीयाया अपि प्रयोगापत्तिः, 'न हि गृहे पचति' इत्यादिवत् 'गृहं पचति' इति कश्चित् प्रयुङ्क्ते । જો દ્વિતીયાનો અર્થ આધેયતા હોય તો, વ્યાપારમાં તેનો અન્વય કરવાના તાત્પર્યથી સપ્તમીના સ્થાને દ્વિતીયાનો પ્રયોગ થઈ શકશે. પણ તેવું તો
કોઈ કરતું નથી. પૃદે પતિ પ્રયોગ જ થાય છે, પૃદંપતિ નહીં. વિવેચનઃ સપ્તમીનો અર્થ આધેયતા છે. અને તેનો અન્વય ધાત્વર્થ વ્યાપારમાં
થાય છે. (જેમ કે વૃદે પતિ એટલે ગૃનિરુપતાધેયતાવFાવ્યાપારવાન). હવે જો દ્વિતીયાનો અર્થ પણ આધેયતા માનશો, તો કોઈ વ્યાપારમાં
વ્યુત્પત્તિવાદ ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org