SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬. નવ્ય : ૨૭. વિવેચન : નગ્ દ્વારા કોઈ પણ અભાવનો બોધ, અભાવના અનુયોગીની ઉપસ્થિતિ વિના ન થાય. જેમ કે, ભૂતને ન પટઃ સ્થળે, ભૂતલ સ્વરૂપ અનુયોગીમાં ઘટાભાવનો બોધ થાય. પણ માત્ર 7 ટ; એવા પદોથી નિરાકાંક્ષ શાબ્દબોધ થતો નથી. એટલે આશ્રયતાસંબંધાવચ્છિન્ન ગમનાભાવનો બોધ કરવા માટે, અનુયોગી સ્વરૂપ કર્તાની ઉપસ્થિતિ જરૂરી બને, જે અહીં છે જ નહીં. એટલે તેવો બોધ થઈ શકે નહીં. અહીં નં. ૨૧ થી શરૂ થયેલ નવ્યોનો પૂર્વપક્ષ પૂરો થયો. अनुयोग्यनुपस्थिते:, नञोऽनुयोगिविनिर्मोके णाभावबोधकताया अव्युत्पन्नत्वादिति चेत् ? ૨૮. તમારી વાત બરાબર નથી કારણ કે અભાવનો અનુયોગી તો ઉપસ્થિત થયો જ નથી. અને અનુયોગી વિના નગ્, અભાવનો બોધક બની શકે નહીં. નવ્યો : વિવેચનઃ પ્રાચીન મતે દ્વિતીયાર્થ ફળ હોવાથી, નક્ સ્થળે, જનકત્વસંબંધાવચ્છિન્ન ફળાભાવ નો બોધ કરવો પડે, અને જનકત્વસંબંધ વૃર્ત્યનિયામક હોવાથી, તે અભાવપ્રતિયોગિતાવચ્છેદક ન બને, તેથી તાદશ ફળાભાવ અપ્રસિદ્ધ થવાથી શાબ્દબોધ ન થવાની આપત્તિ નવ્યોએ આપી. न वृत्त्यनियामकसंबन्धस्याभावप्रतियोगितावच्छेदकत्वे दोषः कः ? તમે કહો છો, તે બરાબર નથી. વૃત્યનિયામક સંબંધ, અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક બને, તો વાંધો શું છે ? તેથી ગ્રંથકાર કહે છે કે વૃર્ત્યનિયામક સંબંધ પણ અભાવ પ્રતિયોગિતાનો અવચ્છેદક બની શકે છે, એટલે તમે આપેલી આપત્તિ જ આવતી નથી. अथ जनकतादिसंबन्धावच्छिन्नप्रतियोगिताकसंयोगाद्यभावस्यातिरिक्तस्य कल्पने गौरवमिति चेत् ? સંયોગના વધારાના જનકતાસંબંધાવચ્છિન્નાભાવને માનવાનું ગૌરવ આવશે, એ જ દોષ છે. વ્યુત્પત્તિવાદ * ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy