________________
फलप्रकारताशालित्वेन वा निवेश इत्यत्र विनिगमनाविरहात् सामग्रीप्रतिबन्धकताधिक्यमवच्छेदकगौरवं च । प्राचीनमते द्वितीयाजन्यफलो पस्थिते: सामा यन्तर्निवेशस्तु नव्यमतसिद्धतज्जन्याधेयत्वोपिस्थितिनिवेशस्थलीय इति नव्यमते तादृशस्थले
शाब्दबोधस्याधिक विषयतया तात्पर्यज्ञानादिकमप्यधिक विषयकमेव शाब्दधीहेतुर्भविष्यति
प्रतिबन्धकसामग्यामप्यन्तर्भविष्यतीति च गौरवम् । ભાવાર્થઃ “Tછત’ વિ. વાક્યના જ્ઞાનથી ઘટિત શાબ્દબોધની સામગ્રી
સમાનવિષયક અનુમિતિ વિ. માં પ્રતિબંધક બને છે, આથી નવ્યમતે તે પ્રતિબંધકતામાં ધાતુજન્ય ફળવિશિષ્ટવ્યાપારની ઉપસ્થિતિનો સમાવેશ કરવો પડશે. તે ફળ નિષ્ઠપ્રકારતા નિરુપિત વ્યાપારનિષ્ઠવિશેષતાશાલિવેન કરવો કે, વ્યાપારનિષ્ઠવિશેષતા નિરપિતા ફળનિષ્ઠપ્રકારતાશાલિત્વેન કરવો તેમાં કોઈ વિનિગમક ન હોવાથી, બંનેનો સમાવેશ કરવો પડશે. એટલે સામગ્રીમાં રહેલી પ્રતિબંધકતામાં
ગૌરવ થશે. વળી, પ્રતિબંધકતાવચ્છેદક પણ ગુરુભૂત થશે.' શંકા: પણ પ્રાચીનોને પણ, દ્વિતીયાજન્યફળની ઉપસ્થિતિનો સમાવેશ
પ્રતિબંધક સામગ્રીમાં કરવો પડશે ને ? સમાધાનઃ તેની સામે નવ્યોને દ્વિતીયાજન્ય આધેયતા-ઉપસ્થિતિનો સમાવેશ કરવો
પડશે. તે સમાન જ છે. વળી, નવ્યમતે, “પામે છતિમાં શાબ્દબોધનો વિષય અધિક હોવાથી તાત્પર્યજ્ઞાન વિ. પણ વધુ વિષયવાળું થશે, જે શાબ્દબોધનું કારણ બનવાથી, સમાનવિષયક અનુમિતની પ્રતિબંધક સામગ્રીમાં પણ આવશે,
એટલે નવ્યોને ગૌરવ થશે. વિવેચન :
કોઈ પર્વતમાં ધૂમ જોઈને વલિની અનુમિતિ કરવા જઈ રહ્યો હોય, ત્યાં જ કોઈ બોલે કે “પર્વતમાં મેં વહ્નિ જોયો.” તો તેને શાબ્દબોધ જ થાય છે, અનુમિતિ નહીં. એટલે સમાનવિષયક શાબ્દબોધની સામગ્રી અનુમિતિમાં પ્રતિબંધક છે, એ વાત સર્વસંમત છે. હવે નવ્યમતે આ છતિમાં ધાતુથી ફળવિશિષ્ટવ્યાપારની ઉપસ્થિતિ થાય છે, જે શાબ્દબોધનું કારણ છે, એટલે તે જ ઉપસ્થિતિ અનુમિતિમાં
વ્યુત્પત્તિવાદ * ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org