________________
तदर्थशाब्दबोधप्रयोजक इति न तादृशनियमक्षतिरिति
प्राचीनपथपरिष्कारप्रकारः । ભાવાર્થ : “શક્તિભ્રમ કે લક્ષણજ્ઞાન વિના, ન્ ધાતુથી, વિભાગજનક સ્પન્દનો
બોધ થાય જ નહીં. એવો નિયમ જ નથી. એટલે કોઈને માત્ર તાત્પર્યના જ ભ્રમથી તેવો વિપરીત બોધ થાય તેમાં કોઈ વાંધો જ નથી. લક્ષણા કે ભ્રમ વિના મ્ વિ.થી તેવો બોધ ન થાય એવો જ નિયમ છે અને તાત્પર્યભ્રમ પણ ભ્રમ હોવાથી, તેનાથી તેવો બોધ થઈ શકે છે. અર્થાત્ તેનાથી પણ નિયમનો નિર્વાહ થઈ શકે છે. T' પદનું પૂર્વજોનું અનાદિતાત્પર્ય વિભાગજનક સ્પન્દ્રમાં છે. એવા ભ્રમવાળો વક્તા જયારે “ગ્રામ છત’ એવો પ્રયોગ વિભાગ અર્થમાં કરે, ત્યારે શ્રોતાને તાત્પર્ય શ્રમ ન હોવા છતાં, વકતાના તાત્પર્યભ્રમના કારણે જ તેવો શાબ્દબોધ થાય છે. એટલે તેવા શાબ્દબોધમાં પ્રયોજક, “પ્રીમ છત’ એવો પ્રયોગ કરાવવા દ્વારા વક્તાનો અનાદિતાત્પર્ય ભ્રમ જ બનતો હોવાથી ઉપર કહેલા નિયમમાં કોઈ દોષ નથી.”
આ પ્રાચીનોનો મત છે, વિવેચન : (૧)
કોઈ કહે છે કે અનાદિતાત્પર્ય જ જો પ્રયોગનું નિયામક હોય તો કોઈને અનાદિતાત્પર્યના ભ્રમના કારણે વિપરીત શાબ્દબોધ થઈ શકે. દા.ત. કોઈને એવો ભ્રમ થાય કે જમ્ નું અનાદિતાત્પર્ય વિભાગજનકલ્પનદમાં છે, તો પ્રામં છત થી પણ વિભાગનો બોધ થશે. પરંતુ એવો નિયમ છે કે “શક્તિભ્રમ કે લક્ષણા વિના, મ્ થી વિભાજનકસ્પન્દનો બોધ ન થાય. કોઈને શક્તિનો ભ્રમ હોય કે જમ્ ની શક્તિ જ વિભાગજનકસ્પન્દમાં છે, તો તેવો બોધ થાય અથવા કોઈ શક્તિ સ્પન્દમાં જ માનવા છતાં વિભાગજનકસ્પન્દમાં લક્ષણા કરે, તો તેવો બોધ થાય. તે સિવાય ન થાય.” હવે તમારા મતે તો જેને તાત્પર્યનો જ ભ્રમ છે, તે શક્તિ તો સ્પન્દમાં જ માને છે, એટલે શક્તિભ્રમ નથી. તેમ લક્ષણા પણ કરતો નથી. તો પછી તેને વિપરીત બોધ થવો ન જોઈએ. છતાં થાય છે, તેથી ઉકત નિયમનો ભંગ થઈ
વ્યુત્પત્તિવાદ * ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org