________________
(૨)
ધાતુ અને દ્વિતીયા, બંનનો પ્રયોગ અનાદિતાત્પર્યના આધારે જ થાય છે, એમ કહ્યું. તેની સામે કોઈ કહે કે જે અર્થની બોધતા જે પદમાં હોય, તે અર્થ માટે તે પદનો પ્રયોગ થઈ જ શકે. તેનો જવાબ આપે છે કે, તે બરાબર નથી, કારણ કે એમ તો શક્તિભ્રમથી કોઈને “પટ' પદથી “પટ”નો પણ બોધ થઈ શકતો હોવાથી તમારા કહેવા મુજબ તો “પટ' માટે પણ “પટ' પદનો પ્રયોગ થઈ શકે તેવી આપત્તિ આવશે, પણ તેવો સ્વારસિક પ્રયોગ કોઈ કરતું નથી. તેથી તમે કહ્યું તેમ અર્થબોધકતા હોવા માત્રથી પદનો પ્રયોગ થતો નથી, પણ અનાદિતાત્પર્ય હોય તો જ થાય છે. જે પદમાં જે અર્થની બોધકતા હોય તે અર્થ માટે તે પદનો પ્રયોગ કરી શકાય, એવો નિયમ કરવા જતાં, ઉપરોકત રીતે “પટ” માટે પણ “પટ' પદના પ્રયોગની આપત્તિ આપી, તેના વારણ માટે કોઈ કહે કે “પટ' પદની શક્તિ “પટ'માં નથી. તેનો બોધ તો શક્તિભ્રમથી થયો છે. એટલે જે પદમાં શક્તિથી જે અર્થની બોધકતા હોય, તે અર્થમાં તે પદનો પ્રયોગ થાય. એવો નિયમ માનવો. તો તેનો જવાબ આપે છે, કે શક્તિ ન હોવા છતાં, નિરુઢલક્ષણાથી અર્થાત અનાદિતાત્પર્યથી જે અર્થની બોધકતા હોય તે અર્થમાં પણ તે પદનો પ્રયોગ થાય તો છે જ. જેમ કે શત પદની શક્તિ તો શું સાતિ
ત શર્ત એ વ્યુત્પત્તિથી, હાથમાં કાપા ન પડે, તે રીતે કુશ-તણાં ઘાસને લાવે તેમાં જ છે. છતાં નિરુઢ લક્ષણાથી કોઈ પણ કાર્યમાં પ્રવીણ હોય તેના માટે કુશલ પદનો પ્રયોગ થાય છે. એટલે, અનાદિ તાત્પર્ય જ સ્વારસિક પ્રયોગનું નિયામક છે, બોધકતા કે શક્તિ નહીં.
शक्तिभ्रमं लक्षणाज्ञानं चान्तरेण गम्यादेविभागादिरूपफलविशेषविशेषितस्पन्दादिबोधकत्वाभावनियमोऽसिद्ध एवेति तात्पर्यभ्रमसहकृतशक्तिप्रमया तादृशबोधजननेऽपि न क्षतिः । विना लक्षणाग्रह भ्रमानधीनतादृशबोधो गमिप्रभृतितो न संभवतीत्येव नियमः, स च . तात्पर्यभ्रमेणैव निर्वहति । विभागाद्यर्थे पूर्वपूर्वेषामनादितात्पर्यभ्रमवतो
वक्तुः स्वकीयतात्पर्येण 'ग्रामं गच्छति' इत्यादिप्रयोगो यत्र तत्र श्रोतुस्तात्पर्यभ्रमासंभवेपि वक्तृतात्पर्यानादित्वभ्रम एव प्रयोगसंपादनद्वारा
વ્યુત્પત્તિવાદ % ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org